Tag Archives: ન્યૂઝ

(રાજ)રોગ અને નિદાન(પધ્ધતિ)


રાજકીય વિશ્લેષકો, લેખકો વગેરે જેવા બુધ્ધીશાળી લોકો પોતપોતાની સમજ પ્રમાણે (આમ તો કંઈ પરિણામ નથી આવ્યું એવા) દિલ્હી પરિણામ પર પોતપોતાની મતિ મૂજબ કહેતા/લખતાં હોય છે તો મને થયું કે હું ભલે આમ બુદ્ધિનો બળદિયો હોય અને મતિ નામે અલ્પ પણ ના હોય પરંતુ પાનના ગલ્લા પર ચાલતી હોય છે એવી ટ્રેનમાં ચડીને ખુદાબક્ષ મુસાફરી કરી તો જોઈએ .

હા,  તો,  જો રાજકીય પક્ષોની સરખામણી ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે કરીયે તો મને કૈક આવું લાગે છે. ભાઈ, તને કોઈએ દોઢ ડાહ્યો થવાનું કહ્યું? – આવું મને સંભળાય છે લેકિન એક બાર હમ બ્લોગ લિખને કા ઠાન લેતે હૈ, ફિર કિસીકી અપને AAP કી ભી નહિ સૂનતે !

સૌ પ્રથમ AAP થી જ શરૂઆત કરીયે કેમ કે સારો કે ખરાબ જે પણ અલગ અલગ લોકો માને એ ડખ્ખો AAP  એ જ રચ્યો છે ને ? તો AAP ને આયુર્વેદ સાથે કદાચ સરખાવી શકાય, જેના વિશે એવું મનાય છે કે આની આડ અસર નથી હોતી ખરેખર તો આ માન્યતા (પણ) સાચી નથી અને ધરમૂળથી રોગ કાઢે છે એ એનો પ્લસ પોઈન્ટ તો માઈનસ પોઈન્ટ એ પણ છે કે આમાં સમય ઘણો લાગે.

બે નંબર(ની) Congress ની વાત કરીએ તો આને જો હું ચિકિત્સા પધ્ધતિ/ઇલાજમાં ગણતરી કરીશ તો લોકો કદાચ ગણતરીની મીનીટસમાં મારું ઢીમ ઢાળી દયે પણ આને નજર અંદાજ પણ કેમ કરી શકાય? એટલે મને લાગે છે કે Congress  એ દવા નહિ પણ દારુ છે. લોકો સમજે છે કે દારુ સ્વાસ્થ્ય માટે સારો નથી તો પણ ‘મજા’ માટે લોકો પીતાં જ હોય છે ને ? અને ચૂંટણી વખતે તો ખાસ આની ડીમાંડ ઊભી કરવામાં આવે છે તેમજ એક કારણ એ પણ કદાચ હોય શકે કે દારુ જલ્દી છૂટતો નથી ને ? ભલે દેશ રૂપી શરીરની, લિવરની પથારી ફેરવી નાંખે છે એ જાણતા હોવા છતાં અમુકને આનું બંધાણ/કુટેવ/મજબુરી છે !

ત્રીજા ક્રમે BJPને મૂકીએ જે મારું ફેવરીટ છે અને એને હું એલોપથી ટ્રીટમેન્ટ તરીકે લઉં છું. માન્યું કે આની આડઅસર ઘણી છે, પ્રમાણમાં  મોંઘી પણ છે પરંતુ આનાથી ક્વિક રીલીફ પણ તો મળે છે અને એમ પાછું સાવ કાંય નાંખી દીધા જેવું તો નથી નથી અને  નથી જ ! Congress રૂપી દારુ અગર મજબુરી છે તો એની ટ્રીટમેન્ટની અપેક્ષા આ બંને પાસે રાખી શકાય એવું અત્યારે લાગે છે આગે આગે ગોરખ જાગે !

હજી અન્ય પક્ષો રહી ગયા એવું કોઈ કહે તો મારી હવે લિમિટ આવી ગઈ, આગે ‘આપ’ ભી તો કુછ કહે સકતે હૈ !

~ અમૃતબિંદુ ~

આજ-કલ લોગ દિલ્હી વિધાનસભા કે આસપાસ જાને સે ડરતે હૈ, કહી કોઈ પકડ કર યે ના બોલે –

.

.

.

.

.

.

ચલ સરકાર બના!

^Fwd Msg^

^ એફ્બી પર આજે મૂકેલ સ્ટેટ્સ

Leave a comment

Filed under સમાજ, media, Nation, politics, social networking sites

Breaking News


ગઈકાલ તારિખ  ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો  સ્વાભાવિક હતું.

૩-૩૦/૪ થી  ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ ન પહોચ્યું સિવાય “ડૉ. સુબ્રમણ્યમ સ્વામી એ ટીમ અન્ના પર લગાવ્યો નકસલવાદ વિચારધારાનો આરોપ !”

.

.

.

હું ભલે પ્રેસ રિપોર્ટર નથી (છતાં)પણ મારો રીપોર્ટ આ મુજબ છે  –

સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાન માળા

ગયા વખતે જય વસાવડાના વ્યાખ્યાનથી ખ્યાલ આવ્યો કે નેશનલ મેડિકોઝ અને ભારતીય વિકાસ પરિષદ ગાંધીધામમાં દર વરસે વિવેકાનંદ વ્યાખ્યાન માળાનું આયોજન કરે છે એ  આ વખતે ડૉ.સુબ્રમણ્યમ સ્વામીના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું.

* વ્યાખ્યાન ભારી ભરખમ ન હતું એ નોંધનીય છે અને ડૉ સ્વામીએ 2G-સ્પેક્ટ્રમ વિશે એકદમ સાદી સમજણ આપી કે  જેનાથી સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે.

* SmSમાં જે જોક્સ માણીયે છીએ એ 2G સંદર્ભમાં મનમોહનસિંહ જે બે Gને જાણે છે એ અને જેલ-કૂક કહે છે કે બધા મદ્રાસીઓને ન મોકલો તો સ્વામીએ કહ્યું કે હજુ તો ઇટાલિયન) પિત્ઝા પણ બનાવવાનો વારો આવશે વગેરેથી વાતાવરણ હળવું રહ્યું.

* અફજલ ગુરુને શા માટે ફાંસી નથી અપાતી એ અને 2G લાયસન્સ વખતે કેવી કેવી ટ્રિક અપનાવી એ વિશે તો  માહિતી મળી જ પણ પબ્લિકને સૌથી વધુ ત્યારે ચોંકી ગઈ જયારે કહેવામાં આવ્યું કે જે બે કંપની ડ્રાફ્ટ લઈને આવી હતી એમાં એકનો ડાયરેક્ટર રોબર્ટ વાઢેરા છે ! !

* ભારતીય સંસ્કૃતિ અને જીવન પદ્ધતિ વિશે પણ બોલ્યા અને સાથે સાથે અનામત વિશે એમણે બહું સરસ મંતવ્ય આપ્યું કે જેઓ રૂલ/શાસન કરી ગયા છે એમને કોઈ કાળે આ “લાભ” મળવો જ ન જોઈએ એ સાથે સાથે બધા શાસકો ની ગણતરી કરાવી છેલ્લે કહ્યું કે એ હિસાબે SC-ST બે ને જ લાભ મળવો જોઈએ અને એમને પણ પરિવારમાં એક જ વખત લાભ મળવો જોઈએ એવી હિમાયત કરી હતી.

* કોમ્યુનલ વાયોલન્સ બિલવિશે તો ત્યાં સુધી કહ્યું કે આ માટે જો જરૂર પડે તો સડક પર પણ આવી જવું જોઈએ.  આ પ્રકારનું ‘ઝેરી’ બિલ અંગ્રેજો કે અન્ય કોઈ પણ શાસકો લાવ્યા નથી

ડૉ.સુબ્રમણ્યમ સ્વામી

~ અમૃતબિંદુ ~

બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’
બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’
આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna!

2 ટિપ્પણીઓ

Filed under ધર્મ, સમાજ, media

FDI


બ્લોગપોસ્ટના શિર્ષક પરથી સમજી ગયા હશો કે  ટીવી-છાપા-મેગેઝિન-કોલમ્સ પાસેથી બીજું કંઈ શીખીએ કે નહિ પણ શિર્ષક તો બાંધતા શીખી જ જવાય . શિર્ષકને બાદ કરતા ‘અંદર’ ભલે ને ગમે તે વાતો ઠોકી મારવાની , એ બહાને અનુભવી લેખકોની હરોળમાં તો  ગણાય જવાય !

જો કે સાવ એમ નિરાશ તો નહિ કરું પણ હા  FDIને લઈને પણ ન્યૂઝ ચેનલ્સ દ્વારા હર કોઈ પ્રદૂષણ વધારવામાં યથાશક્તિ ફાળો આપે છે તો હંમેશની જેમ મનેય થયું  કે  એ બહાને પોતાનું (અ)જ્ઞાન પ્રદર્શિત કરવાનો મોકો ઝડપીને હું (પણ)કેમ પાછળ રહી જાવ ?

FDI અને ખાસ કરીને (કદાચ  અન્ય કોઈ સ્ટોર વિશે બહુમતી બેખબર છે એટલે )વોલમાર્ટને લઈને એટલું બધું કહેવાય ચૂક્યું છે અને એ હજુ ચાલુ જ છે કે વોલમાર્ટ વાળાને  ખુદને ય પોતાના આ ફરજંદ વિશે આટલી  માહિતી નહિ હોય ! હજુ તો રવિવારની પૂર્તિઓમાં પણ (‘ડર્ટી’ રીવ્યુ સાથે સાથે;)) અંગે (ઈચ્છા ન હોય તો ય) વાંચવા  ‘રેડ્ડી’ રહેજો.

FDI કે એવી કોઈપણ પોલિસીની આંટીઘૂંટીઓ વિશે તો કંઈ જ્ઞાન નથી પણ એટલી ખબર પડે છે કે આ વિશે આપણે કૂવાના દેડકા રહ્યા હોત તો હજુ બજાજ પ્રિયા કે રાજદુત કે એમ્બેસેડર જ ફેરવતા હોત, અને પેપ્સી કે કોક પીતા લોકોને આજે ય આપણે અમીર જ સમજતા હોત. અને મારા જેવો EPABX-iPBX-Mobile વેચવાનું તો દૂર પણ કદાચ હજુ યે ફોનના ડબલા ઉપાડીને ૩-૪ આંકડાના નંબર બોલીને ટ્રંક કોલ બૂક કરાવતા હોત.  એવી જ રીતે સાણંદ કે ધોરડો વગેરે જગ્યાએ લોકોને  બે છક અઢાર  છે એ બાર પણ ન હોત.

સામે પક્ષે એ પણ છે કે એનો મતલબ એ નથી કે આ બધાં આપણા માઈ-બાપ છે અને એ લોકો આપણા પર ઉપકાર કરવા આવ્યા છે.

અમારું તો આખુ ગાંધીધામ (Indian) FDI પર જ ઊભેલુ છે કેમ કે પાકિસ્તાનથી આવેલ સિંધીઓ માટે વસાવવામાં આવેલ ગાંધીધામમાં  રાજસ્થાન-પંજાબ-બિહાર અને સાઉથમાંથી જો અહી (બેશક કમાવા) ન આવ્યા હોત તો આજે ગાંધીધામ જેવું છે એવું ન જ હોત અને મારા જેવાએ જેણે કદી કચ્છ જોયું ન હોય એવા લોકોને કોણ સંઘરત ?

અમૃત બિંદુ ~

ઇનશોર્ટ આંધળુકીય કરીને આવકાર ન આપો એવી જ આંખ બંધ કરીને આવા રોકાણકારોને આઘા પણ ન  રાખવા જોઈએ.

6 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

ગુજરાત સમાચારનું નેટવર્ક


પોસ્ટની શરૂઆત એક સ્કેન ઇમેજથી  –

ગુ.છો.શાહનું જબરદસ્ત નેટવર્ક

હવે ૧૩ જૂન ૨૦૧૧નાં ગુજરાત સમાચારની વેબ આવૃતિમાં નેટવર્ક વાંચો…

હવે ?

કંઇ નહી  મને મુંઝવતા બે-ચાર સવાલ પણ વાંચી લ્યો ને –

* પ્રિન્ટેડ અને વેબ આવૃતિમાં અલગ અલગ  લેખ કેમ ?

* જૂનનાં પહેલા સપ્તાહમાં ઇલિયાસ કાશ્મીરી ઠાર મરાયો એ અને ‘પ્રિન્ટેડ-નેટવર્ક’માં ઉલ્લેખ કરાયો એ બન્ને અલગ અલગ હશે?

* અગર અલગ અલગ હોય તો પછી વેબ આવૃતિ પર લેખ કેમ બદલી નાંખવામાં આવ્યો હશે?

* આ લેખ આપવામાં ભાંગરો વટાયો કે છાપવામાં ? કે બન્ને રીતે?

* લેખ આપવામાં  કે છાપવામાં કોઇપણ પક્ષે આ ભૂલ થઈ હોય તો આ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી હોય અને કોઇએ વાંચી હોય તો મને નથી દેખાયું જેથી પ્લીઝ મારું ધ્યાન દોરશો.

~ અમૃતબિંદુ ~

આ સમગ્ર પ્રકરણ અંગે એક મિત્રએ ધ્યાન દોર્યુ હતું જે જાણ ખાતર. 

Leave a comment

Filed under media

સોનુ સિન્હા


* ત્રેવીસ વરસની એક છોકરી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય ત્યારે એને લૂંટવાનો પ્રયાસ

શેઈમ !

* ફિલ્મી ઢબે  બદમાશ લુચ્ચા લફંગાઓ એ છોકરીને  ટ્રેનમાંથી નીચે ફેંકી દે

શેઈમ !

* પાસેની ટ્રેકમાં ફંગોળાઈ જતા એ છોકરીનો પગ ટ્રેનમાં કચડાઈ જાય

શેઈમ !

* નેશનલ લેવલની રમતવીરાંગના સાથે ઘટેલ આ કમનસીબ ઘટનાની મિડીયામાં મોડી  નોંધ

શેઈમ !

* સ્પોર્ટસ મીનીસ્ટર જાણે ખેરાત કરતા હોય એમ પચ્ચીસ હજાર રૂપરડીની સહાય જાહેર કરે

શેઈમ !

આ દર્દનાક કિસ્સાની એક એક વાત કેટકેટલી શરમજનક છે ! !

આ અગાઉ પણ એક પોસ્ટમાં કહી ચૂક્યો છું કે આપણે માત્ર લશ્કરી સૈનીકોની સેવા ને  જ દેશ સેવા ગણી છીએ જ્યારે ખરેખર તો કોઇપણ ક્ષેત્રમાં રહી તમે દેશ સેવા જ કરી શકો છો, કરતા હો છો.

નેશનલ લેવલની ફૂટબૉલ અને વૉલીબૉલ પ્લેયર એવી એક આશાસ્પદ છોકરીને જ્યારે ખબર પડી હશે કે મારો પગ નથી રહ્યો    ત્યારે એને શું થયું હશે એ વિચારીને જ કમકમાટી ઉપજે છે.

આ છોકરી જ્યારે ગુંડાગીરી-દાદાગીરી-લુખ્ખાગીરીના લીધે એનો ડાબો પગ ગુમાવી બેઠી છે ત્યારે એની માનસીક-આર્થીક-શારીરિક પિડાને રીતસરની અવગણીને ભીખના ટૂકડા જેવું આપીશું તો કયા ખેલાડીને દેશ માટે રમવું ગમશે? આવા બધા કારણો સર અગર  ખેલાડી મેચ-ફિક્સ ન કરે તો શું કરે?!

વરસો પહેલા કપિલ દેવે આપકી અદાલતમાં ખેલાડીઓ પૈસા કમાય બચાવ કર્યો’તો એ આવા પ્રસંગોથી જસ્ટીફાય થાય છે.

અત્યારે એની હાલત વિશે વિચારી  દિમાગ એટલુ સુન્ન થઈ ગયુ છે કે વધુ કંઇ લખવાનું પણ સુઝતું નથી માત્ર એટલી પ્રાર્થના કરીયે કે એને આ દુ:ખ સહન કરવાની શક્તિ અને રાજકારણીયો તેમજ આપણને સદબુધ્ધિ મળે કે જેથી કમ સે કમ આપણે વૉટ દેવા જઈએ અને ઓછા નાલાયક માણસને ચૂંટીયે….

~ અમૃત બિંદુ ~

જેઓ વર્લ્ડ કપ વખતે ગુજરાત તરફથી કિકટર્સ ને આપવાના એકલાખ  ઓછા સમજતા હતા તેઓ  અત્યારે  સોનુ સિન્હા માટે માત્ર ૨૫૦૦૦ રૂપરડીની વાતે કેમ ચુપ હશે ? !

10 ટિપ્પણીઓ

Filed under સંવેદના, સમાજ, media, Sports

જ-જંતર . . . મ-મંતર !


જન લોકપાલ બીલ મુદ્દાનો મુખ્ય મુદ્દો યાને એનું મૂળ તો ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વત ને? સલાહથી વિપરીત ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વતનું છે. લેવી હર કોઇને છે, દેવા માટે કઠે છે! કરવો હર કોઇને છે પણ કરવા દેવો નથી.

અપૂરતા(ઘણા કેસમાં તો ખોટા) ડોક્યુમેન્ટસ કે ‘સ્પીડ’ માટે લોન પાસ કરાવવા ઓફિસરની માંગવાની હિમ્મત ન હોય તો પણ આપણે જ એને ચા-પાણી રૂપે પધરાવી “વ્યવહાર”માં ખપાવવાની ખંધી હોશિયારી/ચાલાકી કરતા અચકાતા નથી.

ટ્રાફીકનું અને ડોક્યુમેન્ટસ સંબંધિત અજ્ઞાનના કારણે જ આપણે સામેથી ચાલીને ‘ફાઈન’ના બદલે વર્સ્ટ કદમ ઉઠાવીને ટ્રાફીક પોલીસ પાસે ‘કડદો’ કરાવીએ છીએ.

જન્મ-મરણના દાખલા માટે ય ‘ચૂકવવા’ માટે આપણે બેકરાર હોઇએ છીએ.

ચા-સિગરેટ-ગુટકા માંડી જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુમાં ય આપણે જે રકમ ચૂકવીયે છીએ એ વ્યાજબી કે ‘કાયદેસર’ હોવાની દરકાર કરીયે છીએ? અને ગુજરાતમાં દારૂનો ‘મેળ’ કરવામાં આપણને કંઇ વાંધો છે?

નહીં!

કેમ ? શું આપણે ડરપોક છીએ? શું આપણે એટલા બધા સજ્જન અને શાંતિ પ્રિય છીએ કે ઝગડા-મગજમારી ફાવતા નથી?!

મને યાદ છે કે ૨૦૦૧ના ભૂકંપમાં જેઓના ઘર/ફ્લેટ G-5 કેટેગરીમાં આવતા હતા (અમુકના જાણી જોઇને પણ G-5 કરાવતા હતા) અને એના સામે ૧૦૦ ચો.મી. ના “મફત” પ્લોટ એલોટ કરાતા હતા ત્યારે પ્રજા દ્વારા અંધાધૂંધી અને ગેરવ્યવસ્થા અને હોશિયારી થતી હતી, મામલતદાર (કે કલેકટર) દ્વારા કહેવું પડ્યુ હતુ કે સરકાર પાસે  વળતર મેળવવા હક્કદાર નથી, આ તો સરકાર તરફથી સહાય છે!

અને લોકોને કંઇક ૮૦૦-૯૦૦ જેટલા ‘મફત’ પ્લોટ ફાળવાયા છે. ‘મફત’ના માલની આજે બખ્ખા થઈ જાય એવી કિંમત મળે છે પણ કાલ સવારે સરકાર જાહેર કરે કે દરેક વ્યક્તિએ (માત્ર) એક એક લાખ આપવાના છે તો સૌ કોઇ “અનશન” શસ્ત્ર ઉઠાવવામાં પળનો ય વિલંબ કે વિચાર નહી કરે!

આવા તો કંઇ કેટલાયે દાખલા છે ને?

-x-x-x-x-x-x-

અણ્ણા હઝારે એ કદાચ દેશ માટે સુંદર સપના જોયા હશે પણ અનશનને જે પ્રતિસાદ મળ્યો એ એમણે સપનેય વિચાર્યું નહી હોય…

ચોવીસ કલાકની ચેનલ્સને તો આવી કોઇ પણ ન્યૂઝ આયટેમ ખપતી હોય છે અને સોશ્યલ સાઇટસની હાજરીથી એ મુદ્દો વધુ ચગ્યો! ગામ  શહેર- ગલી – મહોલ્લો કે પાનનો ગલ્લો આ ચર્ચાથી તરબતર અને કેન્ડલ લાઈટ કે સહી (?) અભિયાનથી લોકોને મજા આવવા માંડી.

કેન્ડલ લાઈટ કે સહી અભિયાનના ટેકામાં આવતા હરકોઇ તો શું ૫-૧૦ ટકા પણ આ મુદ્દા પ્રત્યે ગંભીર અને સાચા ન હતા. કોઇ તમાશા જોવા આવ્યુ હતું તો કોઇએ મજબુરીમાં હાજરી પુરાવવી પડી હતી. ઈવન સૂત્રોચ્ચાર દરમ્યાન પણ કસ્ટમ-જમીન-બેંક વગેરેના કોકડા સુલઝાવવાની કસરત ચાલુ હતી!

લોકપાલ બીલ આવે અને રાજકારણીઓની બજાવે ત્યારની વાત ત્યારે પણ એ આવે ત્યાં સુધીમાં “જીત”ને પચાવતા નહી આવડે કે દાનતમાં કે સતર્ક્તામાં ચૂક થઈ તો બાપ્પા આણી કંપનીની ઇજ્જત-આબરૂનું રામ બોલો ભાઈ રામ થઈ જતા વાર નહી લાગે!

અણ્ણા હઝારે કે આવી કોઇ પણ સંસ્થામાં કેટલાયે કાર્યકરોની (અ)નિતી એમને કનડતી હોય તો યે બે બિલાડીઓમાં વાંદરો ‘લાભ’ન ખાટી જાય માટે મજબુરીમાં ચુપ રહેવું પડે છે એ પણ એક સ્ખલન જ છે !

~ અમૃત બિ‍દુ ~

“પ્લાસ્ટિકના ઝભલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો,
મારો પ્રશ્ન તો એટલો જ છે કે તો પછી ગાય ખાશે શું ?”

( દ્વિરેફ વોરાનું ફેસબુક સ્ટેટસ)

Leave a comment

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

યુવાનો… બુઢ્ઢાઓ…ક્રાંતિ…શાંતિ = કેટલી ભ્રામકતા?


યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદશહિદ ભગતસિંહ અને સચીન હોય છે તો  એવી જ રીતે બધા બુઢ્ઢા-બુઝુર્ગો પણ કંઇ નાંખી દીધા જેવા નથી હોતા. પોતાની પીઢતા અને અનુભવના ભાથાથી મહાત્મા ગાંધીજીથી લઈને હાલ જેઓ એકદમ હોટ ટૉપિકમાં છે એ ૭૨ વર્ષિય અણ્ણા હજારે જેવા પણ માર્ગદર્શન અને દ્રષ્ટાંત પૂરુ પાડતા રહ્યા છે, એવી જ રીતે રીલ લાઈફમાં પણ દેશપ્રેમી અને આખરી રાસ્તામાં અમિતાભ કે હિન્દુસ્તાનીમાં કમલ હસન કે પછી વેનસ ડેનો નાયક  પણ યુવાન ન હતા એ નોંધવા જેવું છે. હજુ એક વધુ દાખલો પોલીટીક્સમાંથી લઈએ તો યુવાન રાજીવ ગાંધી અને બુઢ્ઢા નરસિંહા રાવના શાસનનો પણ છે.

^ આટલું વાંચ્યા બાદ કોઇપણ આસાનથીએ અનુમાન અને આરોપ (?) લગાવી શકે કે ભાઈશ્રી હવે આધેડ ઉંમરનાં થયા અને બુઢાપાની તરફ પ્રયાણ કરી રહ્યા છે એટલે આવા બધા લવારા ચાલુ કરી દીધા! પણ ના, હું યુવાનો કે બુઝુર્ગો કોઇપણનો આંખ મીંચીને વિરોધ કરવા નથી માંગતો બલ્કે વિરોધ સામે જ મારો તો વિરોધ છે કે શું કોઇપણ જાતનો વિરોધ કરીને જ તમારો પક્ષ રાખી શકાય ? પણ ‘દળી દળીને ઢાંકણી’માં ની જેમ જ્યારે કોઇ વાત એકના પક્ષમાં કરો એટલે આપોઆપ બિજાના વિરોધમાં હોય એવી છબી જરૂર ઉપસે.

થોડા દિવસો પહેલા જયવંત પંડ્યાના બ્લોગ પર અને પછી  થોડા દિવસો બાદ ઉર્વિશ કોઠારીના બ્લોગ પર ક્રાંતિ કેમ નથી થતી ની વાત હતી… બન્નેએ પોતપોતાની રીતે અલગ (વિરોધી નહી) કરી હતી એટલે એ વિશે કોઇ ગેર સમજ કરવી નહીં. એ બન્ને વખતે મને લખવાની ખુજલી ઉપડી હતી પણ ન લખ્યું પરંતુ ફરી અન્ના હજારેના અનશનની વાતોથી અત્યારે વાતાવરણ તરબતર છે ત્યા થયુ કે ચાલ ભાઈ ખુજલી મીટાવીને જ જંપુ!

યુવાનો બુઢ્ઢાઓની વાત બાદ ટાઈટલમાં કહ્યું છે એમ ક્રાંતિ હોય કે શાંતિ બન્ને ભ્રામક જ નથી હોતી? જેમ મોટાભાગે  શાંતિ માટે યુધ્ધ થતા હોય છે એમ જ ઘણવાર ક્રાંતિમાં (કરનાર નહીં પણ)જોડાનાર માટે મુદ્દો ગૌણ બની જતો હોય છે અને બધા સાથે હોઇશા હોઇશા કરવાનો ઉન્માદ વધુ કારણભૂત હોય છે.

તેરી શર્ટ મેરી શર્ટસે જ્યાદા સફેદ ક્યુ? એ સૂત્ર જાહેરાતમાં ઠીક છે બાકી બીજા દેશોમાં ક્રાંતિ થાય તો આપણા દેશમાં કેમ નહી એ  એક માત્ર  મુદ્દો/કારણ ન હોવું જોઇએ. ભ્રષ્ટાચાર એ ચાઈના આયટેમ્સની જેમ આપણા જીવનમાં પ્રવેશી ગયું છે એનો એક ઝાટકે કોઇ ઉકેલ નથી અને ગમે તેટલા સતર્ક (કે વેવલા) રહો તો પણ એનાથી અસ્પૃશ્ય રહેવું મુશ્કેલથી હવે નામુમકીન સુધીની હદમાં પ્રવેશી ગયુ છે.

આનો અર્થ એ પણ નથી કે બસ નીચી મુંડીએ સ્વીકારી લો પણ આ એટલો નાજુક મુદ્દો છે કે જો આ પ્રકારના આંદોલનને યોગ્ય દિશા ન મળે તો દશા બેસી જાય!

અંધા કાનૂન – પ્રહાર – પ્રતિઘાત – હિન્દુસ્તાની – રંગ દે બસંતી – વેનસ ડે અને આવા કંઇ કેટલીયે ફિલ્મસ જોઇને માત્ર સ્મશાન વૈરાગ્ય જેવું અનુભવીને ભૂલી જઈએ કે આઝાદ થઈને જંગ જીતી ગયા ન હ તા આવ્યા એવી જ રીતે લોકપાલ બીલ પસાર થઈ ગયુ એટલે ગંગ નાહ્યા અને કહાની કા હેપ્પી એન્ડ નથી એ સમજ આવવી જરૂરી છે.

અમૃત બિંદુ ~

બપોરે ૨ વાગ્યાની આસપાસ સ્ટાર ન્યૂઝ અન્નાના અનશન ૫૩ કલાક બતાવતું હતું ત્યારે એન. ડી. (કે ઇન્ડિયા) ટીવીમાં  ૫૬ કલાક અને સાંજે ૪-૩૦ની આસપાસ ઝી ટીવી ૫૮ કલાક દર્શાવતું હતું!

 

5 ટિપ્પણીઓ

Filed under સમાજ, media

અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ


કાલે ઝી-ન્યૂઝ કે એવી કોઇ ૨૪ કલાક ચરકતી ચેનલ જોઇ રહ્યો હતો, એમાં બજરંગ દળના વિનય કટિયાર, અન્ય કોઇ મુસ્લિમ નેતા જેનું નામ યાદ નથી અને ત્રીજા જજ હતા મીં સોઢી… આ “તૈયણ” જણા સાથે  પ્રસુન્ન (કદાચ) બાજપાઈ અયોધ્યા વિવાદ અંગે વાત ચીત કરી રહ્યા હતાં, અને સામન્ય રીતે થાય છે એમ જ પ્રસુન્ન મહાશય હિન્દુ નેતાની રીતસર પાછળ પડી ગયા હતા –

આપકી પહેચાન ક્યા હૈ ? અને આપ તો આંદોલનકારી હૈ ? અને હવે કેમ વાતચીતથી મસલો સુલઝવવાની વાત કરો છો ? થી વિ.ક. ને ઉકસાવવાની કોશિશ કરી રહ્યા હતા.

હંમેશની જેમ મારા દિમાગમાં સવાલો ઊભરતા રહ્યા કે સાલ્લુ મિડિયા વાળાને આરએસએસ, વિહિપ, બજરંગ દળ અને ભાજપ વગેરે વગેરે ને જ કેમ “આડે હાથ” લ્યે છે? ઘણા અલગ અલગ જવાબનું સંકલન કરીને કહું તો એવું લાગે છે કે કદાચ એક હિન્દુ બીજા હિન્દુ ને એટલા માટે પજવતો રંજાડતો રહે છે કેમ કે ત્રીજો હિન્દુ એટલે કે આપણે પ્રજાને આ ભવાઈ જોવા હાજર હોય છે અને એની મજા માણે છે!

વધુ કંઇ હું લખું એના કરતા અને હવે (કદાચ) આ ભાષા કોઇ નહીં લખી શકે એટલે આપણા સૌના પ્રિય એવા બક્ષી સાહેબના જ અમુક આર્ટીકલ્સમાંથી અંશો વાંચો-

-x-x-x-x-x-

૧૯૯૩માં પડી ગયેલ હિંદુ મુસ્લિમ દરારની પાછળ બે-ચાર મહિનાઓની ઘટનાઓ નથી, એનો આરંભ ૧૯૦૬માં થયો હતો. કેટલાક માને છેકે એ પ્રક્રિયા ૧૦૨૬માં મેહમૂદ ગઝની સાથે, કે ૧૧૯૨માં શહાબુદ્દિન ઘોરી સાથે,કે ૧૫૨૬માં બાબર સાથે શરૂ થઈ ગઈ હતી. આજનો પ્રશ્ન વધારે સરળ છે. હિંદુ અને મુસ્લિમ ભારતવર્ષમાં વહેતા રક્તના લાલ કણ અને શ્વેત કણ છે? કે યુગોસ્લાવીઆના સર્બ  અને મુસિલમની જેમ તેલ અને પાણી બની ગયા છે? ઉત્તર કદાચ “આવતીકાલ”નો ઇતિહાસ આપશે..

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : એપ્રિલ ૨૫, ૧૯૯૩)

આગામી દશકો સુધી સુધી ભારતવર્ષનો ઇતિહાસ એક પ્રશ્ન પૂછતો રહેશે: બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના ક્ષણના આવેગનો અકસ્માત હતો કે પૂર્વયોજિત હતી? …. ઇતિહાસપરિપ્રેક્ષ્યમાં આ પ્રશ્ન મુકાય છે,અને માત્ર જનક્રાન્તિ નામનો એક શબ્દ શેષ રહી જાય છે.

વિશ્વ ઇતિહાસમાં આવી દિશાપરિવર્તક ત્રણ ઘટનાઓ મારી દ્રષ્ટિએ છે:

(૧) જુલાઈ ૧૪,૧૭૮૯ : પેરિસના બાસ્તિલની કિલ્લાજેલ પર જનતાનો હુમલો અને બાસ્તિલનો ધ્વંસ અને ફ્રેંચ ક્રાંતિનો પ્રારંભ,

(૨)ઑકટોબર ૨૪/૨૫, ૧૯૧૭: લેનિનગ્રાદ કે સેંટ પિટસબર્ગ કે પેત્રોગાદના ઝારના મહેલ પર બોલ્શેવિકોનું આક્રમણ અને ઝારશાહીનુંપતન અને રશિયન ક્રાંતિનો પ્રારંભ

(૩)ડિસેમ્બર ૬, ૧૯૯૨: અયોધ્યાની બાબરી મસ્જિદ પર હિંદુ કારસેવકોનું આક્રમણ અને બાબરી ખંડન અને હિંદુસ્તાનના ઇતિહાસનો પૂરો યુ-ટર્ન.

…… એક દિવસ કદાચ જ્યાં બાબરી ઢાંચાની ઘુમ્મટો હતા ત્યાં રામમંદિરના ઝળહળતા કળશો ઊગતા સૂર્યના પ્રકાશમાં ચમકતા હશે…

(પુસ્તક -યાદ ઇતિહાસ. લેખ – ગુજરાત સમાચાર : માર્ચ ૧૪, ૧૯૯૩)

હિન્દુસ્તાનને અને ખાસ કરીને ગુજરાતને ધાર્મિક એખલાસ રાખવાની સલાહો આપવામાં પશ્ચિમના દેશો સતત સક્રિય રહે છે. સારૂં છે. વેરઝેર ન હોવાં જોઇએ, હળીમળીને ચાલવું જોઇએ, ભાઈચારો રહેવો જોઇએ. એ વિષે કોઇ મતાંતર હોવાનું કારણ પણ શા માટે હોવું જોઇએ? ……. પશ્ચિમી દેશો ગુજરાતને સલાહો આપતા રહે છે, કારણકે દ્રોહી સેક્યુલારીસ્ટો અપપ્રચાર કરવામાં એક્કા છે. અંગ્રેજીમાં ટી.વી.પ્રવક્તાઓ અને પત્રાકારો માટે સ્વછંદતા અને દેશદ્રોહની ભેદરેખા ભૂંસાઈ ચૂકીછે.

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – સંદેશ : ફેબ્રુઆરી  ૨૩, ૨૦૦૩)

~ અમૃતબિંદુ ~

બદમાશને ફાંસીને માંચડેથી ઉતારી લો, અને એ તમને ફાંસીના માંચડે ચડાવી દેશે. – અંગ્રેજી કહેવત

(પુસ્તક- ૬૪ લેખો, લેખ – અભિયાન:એપ્રિલ ૧૨, ૨૦૦૩નું ક્લોઝ અપ)

10 ટિપ્પણીઓ

Filed under સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !


મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  –  યે સહી બાત હૈ?”

મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું  ચિંતા ન કર.  તો એણે મને છાપામાં આવેલ કિસ્સા કહ્યાં (વરસો પહેલા શ્રી શાહબુદ્દિન રાઠોડ”બસ, છાપામાં ય આવી ગયું?! વાળી વાત કહેતા, આજે પણ  એ જ હાલત છે કે છાપામાં આવે એટલે વાત પૂરી! ) મેં મારી રીતે એના મનનું સમાધાન કરવા,  માસ  હિપ્ટૉનાઈઝ ને એવું બધું કહ્યું..પણ એના હાવ-ભાવથી લાગતું હતું કે  એ મારા વિશે મનમાં બોલી રહ્યો છે – આ માણસ કોઇ દી’ નહી સમજે!

-x-x-x-

આજે  લંચ ટાઈમમાં ઘરે ભૂલ ભૂલથી TV9 ચેનલ જોવાઈ ગઈ. તો એના પર તો “કૉલ નો કાળો કેર” કે એવા કોઇ સનસનાટી ભર્યા ટાઈટલથી ‘ક્રિયાકર્મ’ બતાવતા હતા જે આખો કિસ્સો આ મુજબ છે  –

વડોદરામાં એક વ્યક્તિ કે જેઓ જેલ સુપ્રિટેન્ડન્ટ છે, ગઈ કાલે સાંજે એમના વાઇફનાં મોબાઈલ પર કૉલ આવ્યો જે આ સાહેબે જોયો તો લાલ લાઈન વાળો નંબર ડિસ્પ્લે થતો હતો અને રીંગ ટૉન પણ એમના મોબાઈલમાં ન હતીં એવી વાગતી હતી, સાથે સાથે કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન પણ ડિસ્પ્લે થતું હતું. એમના શબ્દોમાં, ” હું શિક્ષિત માણસ છું, એટલે મીડિયામાં આવતા અહેવાલથી વાકેફ હતો  અને કૉલ એટેન્ડ ન કર્યો.” આવું પૂનરાવર્તન થતું રહ્યું એટલે એમણે અડોશ-પડોશની સાથે સાથે TV9 વાળાને પણ પોતાને ત્યાં બોલાવી લીધા  અને (તેઓ આ ડેમોન્સ્ટ્રેશન આપી શકે એટલા માટે) ફરી ફરીને રીંગ વાગતી રહી! શિક્ષિત (એમના શબ્દો મુજબ) હોવાથી એ સાહેબશ્રી અમુક ટેકનીકલ (લાગે એવા) તર્ક રજૂ કર્યા

૧ – કોઇપણ ઈનકમીંગ રીંગ ૪૫ સેકન્ડ સુધી જ વાગે તો પછી આ કેસમાં ક્યારેક ૧૦-૨૦ થી કરીને એક કલાક જેટલી વાર રીંગ કેમ વાગે?

૨ – રીંગટૉન પણ એવો હતો કે જે એમણે સેટ કરવો તો દૂર પણ એમના ‘ડબલા’માં જ ન હતી !

૩ – લાલ લાઈન પણ કેમ આવી શકે અને કૉલર ઇમેજ તરીકે કાર્ટૂન ક્યાંથી આવ્યુ?!

TV9 વાળા લોકોમાં ડર ફેલાવવા અતિઉત્સાહિત હોય એમ એ સાહેબ ત્થા એમના શ્રીમતી એમ બન્નેનો ઇન્ટર્વ્યૂ લીધો, અલબત્ત એક જ પ્રકારનાં સવાલો સાથે.

મારી જેમ કોઇ અલેલ ટપ્પુ TV9 પર એકપક્ષિયનો ઇલ્ઝામ ન લગાવે એટલે એમણે એક સાયબર એક્ષ્પર્ટને પણ અમુક સવાલ કર્યા..પણ એ સવાલમાં આગળ પેલા ભાઈએ ઊઠાવેલ સવાલો જ ન પૂછ્યા! એ એક્ષ્પર્ટે છાતી ઠોકીને  આવી હમ્બંગ વાતનું ખંડન કર્યુ પણ આ એક્ષ્પર્ટની વાતને ખાસ મહત્વ આપવામાં આવ્યું નહીં એ ક્લીયર દેખાતું હતું ! !

-x-x-x-

આ ‘ક્રિયાકર્મ’ પત્યા પછી મેં ઑથેન્ટીક માહીતી માટે મારા (ભૂતપૂર્વ પાર્ટનર એવા) મિત્ર જવલંત ગોહેલને કૉલ  કર્યો, જવલંત પીજીવીસીએલમાં સર્વીસ કરે છે અને ડ્યુટી પતાવ્યા બાદ ઘરે રાતીજગો કરીને, ગાંઠનું ગોપીચંદન કરીને શોખથી (લોકો ઓરકુટ-ફેસબુક જેવી સોશ્યલ સાઇટ પર આંટા મારતા હોય છે એના બદલે) આ ભાઈ મોબાઈલ વિશેની કોઇ ફોરમમાં બહુ સારી રીતે એકટીવ રહીને કંઇને કંઇ પ્રદાન કરતો રહે છે.  એને કહેવું છે  કે –

*  હવે એ જમાનો નથી કે માત્ર મૉબાઈલ કે ફોનથી જ કૉલ થઈ શકે એટલે કોઇ તોફાની તત્વ “બગ” નો (ગેર)લાભ ઉઠાવીને કોમ્પ્યુટરમાંથી કૉલ કરતો હોવો જોઇએ.

* આવા સોફ્ટવેરની મદદથી તમે કંઇ પણ કરી શકો જેમ કે  તમારે કયો નં. ડિસ્પ્લે કરવો છે..કઈ રીંગ ટૉન અને સાથે સાથે કઈ ઈમેજ સે ન્ડ કરવી છે એ બધું જ કરી શકો.

* આ તત્વ પોતે જ કદાચ થોડા દિવસમાં પોતાને જાહેર કરશે અને શેખી મારશે કે  મેં આવું આવું કર્યું.

* વચ્ચે એવું પણ થતું હતું કે તમને જે મોબાઈલમાં કૉલ આવે એમાં તમારો ખુદનો નંબર ડિસ્પ્લે થાય! !

-x-x-x-

આટલીબધી પીંજણ પછી મને હરવખતની જેમ એ જ સવાલ ઊથે કે મીડિયાની સમાજ પ્રત્યે કોઇ જવાબદારી ખરી કે નહીં?  આપણે જોઇએ જ છીએ કે ક્યારેક કોઇ કુદરતી કે માનવ સર્જીત આપત્તી હોય અને એમાં મૃત્યુ  થયા હોય તો મીડિયા વાળ એ જાણે આંકડાની હરિફાઈ માંડી હોય એમ મન ફાવે એ રીતે ભરડતા હોય. મુંબઈ પર તાજ હુમલા વખતેની વાતો ય ક્યાં ભૂલાય એમ છે ? !

આ પહેલા પણ ઝી ન્યૂઝ તરફથી એક સવાલ પૂછાયો  હતો એની પોસ્ટ જોવા અહીં કલીક કરો.

~ અમૃત બિંદુ ~

વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતાથી વધુ ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઇ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાન પત્રો નભી શકે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામનું સાથેસાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

– સત્યના પ્રયોગો

9 ટિપ્પણીઓ

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

Fight for Freedom of Expression


મિડિયાની ભાષામાં જ શરૂઆત કરુંતો  આજ કાલ સરકારના (ફતવા જેવા) ફરમાન સામે પત્રકાર બેડામાં કાગારોળ અને ચર્ચા ચાલે છે કે આવું ન ચાલે . . .સદંતર ન ચાલે. . . અમને રોકનાર તમે (એટલે કે ) સરકાર કોણ ? !

વાત તો છે મુદ્દાની કે જો ઇન્દિરા ગાંધીની (એકસલન્ટ)ઇમરજન્સીની ઘટનાનું પુનરાવર્તન થતું હોય એવી રીતે મિડિયાની સ્વતંત્રા પર જ તરાપ મરાશે તો પછી  શાસક અને વિપક્ષના કરતૂતોનો ભાંડો કોણ ફોડશે? આમ નાગરીક કે જેઓ  સરકારી ઑફિસમાં, પાર્ટીમાં કે આરામથી ઘરમાં બેઠા બેઠા કે અમુક વિદ્વાનો કહે છે એમ પાનના ગલ્લે  કરી શકાય એવી (ઓરકુટ) ચર્ચા માટે ટૉપિક કોણ આપશે? નિષ્પક્ષ, નિડર મિડિયાના પ્રતિનિધીને અગર પુછીને કે પરવાનગી પછી જ (ફિલ્ટર/સેન્સર કરેલા) સમાચારો મળે તો “થ્રીલ’ માટે પત્રકાર બનેલ બંધુઓનું શું ?!

ઓરકુટ પર છાપા કોમ્યુના ડિસ્ક્રીપશનમાં આપેલ અમુક વાક્યોનું કૉપી-પેસ્ટકરણ કરૂં તો  કહે છે કે વિશ્વ પર શબ્દો રાજ કરે છે અને ઇતિહાસને સર્જનારા,ઇતિહાસ બદલી નાંખનારા શબ્દોને વિશ્વના દરેક ખૂણે મુકવાનું કામ કર્યુ છે ચોથી જાગીર ગણાતા વર્તમાન પત્રો તેમ જ સામયિકોએ.કલમની તાકાતે વિશ્વની કેટલીયે ઘટનાઓને એક નવો આકાર આપીને દુનિયા બદલી નાંખી છે, પછી એ સત્યાગ્રહ હોય કે અમેરીકન સીવીલ વૉર હોય કે પછી બીજું વિશ્વ યુધ્ધ કે પછી સામાજિક અને રાજકીય ઉત્થાન અને જાગૃતિનું કામ જેવા શાહબાનો કેસ કે બોફોર્સ કાંડ અને જેસિકા લાલ હત્યા કાંડ કે ત્રાસવાદ સામે જાગૃતિ કે જંગમ વિદ્યાપીઠ જે ના કરે એ કામ વર્તમાન પત્રો અને સામયિકો કરે છે…. હવે આ જ કોમ્યુના (Freedom of Expression)  ટૉપિક પર મિત્ર નિખિલ શુક્લે ઘણું લખ્યું છે એ બધું છાપું તો પછી મારું શું? 😉 એટલે આમાં કેટલું લેવું કેટલું ન લેવું એ મારા અધિકારનો (miss) use કરીને (કે જેને તમે મારી ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશન કહી શકો) એવું થોડુ છાપી મારું તો એ દોસ્તે લખ્યું છે કે આઝાદી પછી, પહેલાં જ્યારે અખબારો કે વક્તાઓને ફટકારવામાં આવતાં હતાં ત્યારે કેવા મરણીયા થઈને લખતાં હતાં!, પછી, તો સ્કૂટર કે ગાડી ઉપર PRESS નું sticker લગાડીને એમ ફરતાં થઈ ગયાં છે કે જાણે PRIME MINISTER નું sticker લગાડ્યું હોય 😉

અખબારો વગેરેએ ઘણું ઉલ્લેખનીય કામ કર્યું છે, આઝાદી પહેલાં પણ અને પછી પણ…અને છતાં જેમ કચ્છ, કાઠીયાવાડ.. બોલે તો સૌરાષ્ટ્રમાં હવે જેમ, દુઘ-દહીં નું commercialization થઈ ગયું છે એમ જ અખબારોનું છે.
“તારું નામ છાપામાં ચગાવી દઈશ..” એવી ધમકીઓ હવે નથી લગાડતી એટલે સુધી.

કદાચ, હરીફાઈ ના કારણે હશે…પણ એનાથી રાષ્ટ્રિય-સામાજિક-નૈતિક જવાબદારીઓ ઘટતી નથી, વધે છે.
“હું પત્રકાર છું, ખબર છે ? ”–આ શું છે, કબુલાત કે વટ કે..ધમકી ??

જેમ નેતાઓ લાયકાત વગરના ભરાઈ ગયા છે એમ..પત્રકારો પણ… ભણતર “ફરજિયાત” બનાવવાની જરૂરીઆત બંનેમાં છે.

અખબારો અને પત્રકારો ખરેખર તો ક્રાંતિકારીઓ જેવા હોય છે, પત્રકાર થવું એટલે ઉંઘ વેચીને ઉજાગરા લેવાં. પણ આ તો વ્યાખ્યા જેવું છે. વાસ્તવિકતા અલગ છે.

થોડો સમય પહેલા, મુંબઈમાં તાજ હોટેલ માં ધમાલ થઈ ગઈ. ત્યારે..અંદર આતંકવાદીઓ હતાં અને બહાર પત્રકારો હતાં, ઘડીભર તો મને સમજાયું જ નહી કે પહેલાં કોને ફટકારવા જોઇએ?;) કેમ ?? શું કેમ?  બહાર કમાન્ડો પોતાના પ્લાન બનવતાં હોય..અને એમના પ્લાન આપણે પાછાં છાપે અને ટીવી પર ચડાવી દઈએ..અને પછી બળાપો કરીએ કે આતંકવાદીઓએ સજ્જ્ડ પ્રતિકાર કર્યો , પણ બબુચકો તમે જો બહારની વાત અંદર ન પહોંચાડી હોત તો ના થાત !

કમાન્ડો ઓપરેશન વખતે અનિવાર્ય ગણાય એવું surpriseનું તત્વ જ પત્રકારોએ ખલાસ કરી નાંખ્યું.
જે આતંકવાદીઓ આધુનિક હથિયારો વાપરતાં હોય એમને satellite phone વગેરે વિશે કંઇ Ph.D કરવાની જરૂર નથી પડતી., આમે’ય એ હોટલ તો પાછી five star હતી !!

ના, એક જ બનાવ નથી, કારગીલ વખતે પણ અમુક બબુચકો દોડી ગયા હતાં…..I want to cover ..બોલતાં બોલતાં..પછી એક ચોકીએ મંજુરી આપી, રાતનો સમય હતો….બ્લેકાઆઉટ હતો….સૈનિકોએ કહ્યું કે “તમારો કેમેરા ન ચલાવતાં કેમકે એનો ફોક્સ….” પણ, સાલી અવળચંડાઈની પણ હદ હોય છે….એક ડાહ્યાએ રાતના વખતમાં બોમ્બના ધડાકાના ફોટા લીધાં..અને હજું કંઈ સમજાય એ પહેલાં જ…ધડામ.. well…એના
કારણે ૨-૩ સૈનિકો શહિદ થઈ ગયાં બીજાં ઘાયલ થયાં..

બીજી બાજુ સરકારો છે…..અત્યારે ડહાપણ બતાવતી સરકારો આવતીકાલે પોતાની ટીકાઓ સહન કરી શકશે ??

સરકાર કંઇ અલગથી (PTI) સિવાય અથવા એના વડે જ એવું ન કરી શકે કે (છપાવી-જાહેર) , સામાન્ય માણાસ પણ સરકારી-ભારતીય નીતિઓને સમજી શકે?!, દેશની દરેક વાત સામાન્ય માણસને કદાચ કહેવી “હિતાવહ” નથી કેમકે, અમુક બાબતોમાં “ગુપ્તતા” જળાવાય એ જરૂરી હોય છે, પણ….એ સિવાયનું ઘણુ છે જે જાહેરમાં મુકી શકાય છાપીને અથવા બીજી કોઇ રીતે…..ધારો તો આને પણ “શિક્ષણ” કહી શકો છો.

અને કેમકે, લોકશાહી છે, એટલે કોઇપણ બાબતમાં “લોકો” ને બાજુમાં નહીં રાખી શકાય.
રસ્તાના સમારકામ માટે આંદોલનો કરતાં કે પાણી માટે નગરપાલીકામાં જઈને માટલાં ફોડતાં લોકો ને ક્યારેય આ બધું દેખાતું નથી??


કેટલાં સુજ્ઞ-જાગૃત નાગરિકો એ પ્રેસ તરફથી કે પ્રેસ ની સામે વિરોધ કર્યો ??

સૌથી વધારે નિયંત્રણ આપણી માનસિકતા પર જરૂરી છે, વિરોધ અને સુધારા વચ્ચેનો ભેદ ઓળખવાની જરૂર છે.

અને મેં પણ થોડુ ઝુકાવ્યુ અને લખ્યુ હતું કે..

જયનારાયણ વ્યાસ કે જેઓ મંત્રીમંડળના પ્રવકતા (અને જેઓ આરોગ્ય મંત્રી, સામાજિક કલ્યાણ, પ્રવાસન,દેવસ્થાન, એન.જી.ઓ. કો-ઓર્ડીનેશન, એન.આર.જી.વિભાગ પણ સંભાળે છે તેણે) હાલ પુરતો એ પ્રતિબંધ મોકુફ રાખ્યો છે (રદ નથી કર્યો!) આખરે આવા પ્રતિબંધની જરૂર કેમ આવી? તો (સરકારીયા જવાબ મુજબ) આત્મહત્યા, કુદરતી આફતો કે અપમૃત્યુ વખતે પત્રકારો હોસ્પીટલમાં ન માત્ર પ્રવેશતા પરંતુ “છાનબીન” ના નામે ગમે ત્યાં ઘુસી જતા અને પી.એમ. થયા પહેલા અમુક ચુકાદો આવ્યા પહેલા તો પોતે જ ડૉ. કે જજ હોય તેમ ફેંસલો સુણાવી દેતા. આવા દાખલા યાદ કરવા/કરાવવા બહુ અઘરા નથી, દરેકને યાદ હોય જ છે તેમ છતાં એક વધુ દાખલો આપી જ દઉ તો ચોરવાડના દરિયામાં રાજકોટની શિક્ષિકાઓ ડૂબી ગઈ હતી ત્યારે બચી ગયેલ શિક્ષિકાને ઝીટીવી વાળા સવાલ કરતા હતાં કે આપકી સહેલી જબ ડૂબ રહી થી તબ આપકો કૈસા લગ રહા થા?! હવે જો આ પત્રકારની કોઇ સગી પર બળાત્કાર થાય અને કોઇ એને “કૈસા લગ રહા થા” સવાલ પુછે તો એ કેટલે અંશે વ્યાજબી છે?

જ્યારે પત્રકારત્વની જવાબદારી કે હક્કની વાત થાય ત્યારે લોકો એ કહેતા હોય છે કે પરદેશમાં (આપણે મન ‘પરદેશ’ એટલે અમેરીકા ભૈ ) જુવો કેટલી બધી આઝાદી છે? પણ 9/11 વખતેની એ લોકોની જવાબદારી અને (નિખિલે ઑલરેડી કહ્યુ છે એ) 26/11ની આપણા મિડિયાની બેજવાબદારી યાદ છે ને? એ લોકો એ ભૂલી જાય છે કે સ્વાતંત્ર્ય હંમેશા જવાબદારી સાથે હોય તો જ મતલબ છે નહીં તો વાંદરાના હાથમાં તલવાર દઈને એને ફ્રીડમ ઑફ એક્સ્પ્રેસન ન દેવાય.

તો આનો મતલબ શું એવો છે કે બધા મિડિયામાં રહેલ દરેક વ્યક્તિ બે-જવાબદાર છે? બિલ્કુલ નહી. એવું તો કોઇ (મારા જેવો ગાંડો) પણ ન કહી શકે. પરંતુ જ્યારે જે વિષયની વાત થતી હોય ત્યારે માત્ર સારું સારું જ કે ખરાબ ખરાબ જ બોલવાનો શું મતલબ?

જેમ કોઇ પણ વસ્તુની છુટની પણ લિમિટ હોયતો એને પ્રતિબંધ કહેવો કે પ્રતિબંધમાં છુટછાટ કહેવી?

એવી જ રીતે આ વિષય માત્ર આ પ્રતિબંધ યોગ્ય છે કે નહી એમ પુછાવા માટે જ નથી પરંતુ વાચક/નાગરીક તરીકે આપણને મિડિયા એને મળતી “સ્વતંત્રતા” નો કેટલી હદે ઉપયોગ કરે છે અને કેટલી હદે દુર-ઉપયોગ..

હજુ ફરીવાર કહુ તો એ તો સીધી જ વાત છે કે ઇંદિરા ગાંધીની ઇમરજન્સી કે બ્રિટીશરો કડક કાયદો કોઇને બાંધી શક્યું નથી તો આવા ફતવા તો ફાટી જ જવાના છે..

માત્ર આ જ ફરમાન-ફતવાથી બહાર નીકળીને મિડિયા એની ફરજ કેટલી પાળે છે અને એ લોકોને બગાડવા કે સુધારવામાં આપણો પણ નાનો-સુનો નથી એ ભૂલવું જોઇએ નહી.

આ  મુદ્દાની “રામયણ” તો “મહાભારત”થી લાંબી થઈ શકે એમ છે પણ આટલું બધું લખ્યા પછીયે હજુ ટૂંકમાં (!) લખવાની લાલચ રોકી શકતો નથી કે મિડિયાએ સ્વાતંત્ર્યના હક્કની માંગણી સાથે સમાજ તેમજ પોતાના પ્રોફેશનની ફરજ  પ્રત્યે સભાનતાની જરૂર છે  સાથે સાથે સરકારે પણ કુકડા જેવા  ભ્રમમાં ન રહેવું જોઇએ કે તેઓ સેન્સર શીપ લાદશે તો સમાચાર નહીં મળે!

~ અમૃત બિંદુ ~

ગુજરાતીમાં ફદફદી ગયેલાં જૂનાં સમાચારપત્રો  બીજાં નવાં પત્રો વિકાસ ન કરે એ માટે કોઇ પણ પ્રકારની તરકીબ અજમાવતાં સંકોચ પામતા નથી. . .  ગુજરાતી છાપાઓ કદાચ સામંતશાહી શેઠવાદી હેંગઑવરમાંથી બહાર નીકળ્યાં નથી અથવા નીકળી શકતાં નથી.   = ચંદ્રકાન્ત બક્ષી

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના