(ગુજરાતી) બ્લોગ જગતમાં ચોરી-ચપાટી,ચડ્ડી-બનીયનધારી ટોળકીને એવા બધાનો બહું ત્રાસ છે એ બહું જ જગ-જાહેર વાત છે અને એમા ફંદ (નોટ ફંડ) – ફાળો આપવો એ (અ)નૈતિક ફરજનાં ભાગરૂપે મેં પણ ટાઈટેનીક જેવડું આખે આખું ટાઈટલ જ ‘બઠાવી’ લીધું ! (એનો સોર્સ કહીંને પોતાનો પગ કુવાડા પર શું કામ મારું?;))
પણ જેમ પ્રશાસન લારી ગલ્લાને હટાવી શાકમાર્કેટ બનાવે અને એમાં પ્રવેશવા માટે કાછીયાઓનું નામુમકીન તો નહીં પણ મુશ્કેલ થઈ જાય કે મૉલ/શોપીંગ કોમ્પ્લેક્સ ઊભા થવાથી કરીયાણાના નાના વેપારીઓને ફડક બેસી જાય એમ મને પણ ચિંતા થવા માંડી કે ગુણવંત શાહ, કાન્તિ ભટ્ટના બ્લોગસ છે એ વિશે તો હજુયે ચાલો લોકો બેખબર છે પણ ઉર્વિશ કોઠારી, સૌરભ શાહ, શિશિર રામાવત, જય વસાવડા, કિન્નર આચાર્ય વગેરે બ્લોગ્સથી તો સાલુ આપણી ગાજરની પિપુડી વગાડવા જેવી તો ઠીક ખાવા જેવી ય નહીં રહે. જેમ બિઝનેસમાં ઑર્ડર પાઈપ લાઈનમાં છે એમ કહેવાય એવી રીતે હજુ સલીલ દલાલ, ધૈવત ત્રિવેદી, સંજય છેલ, નરેશ શાહ, કાજલ ઓઝા વૈદ્ય જેવા અમુક નામો તો પાઈપલાઈનમાં હશે જ. અને નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે ફ્લેશ થવાની વકી નકારી શકાય નહીં.
તો ? આપણે શું કરવું ? આ (ખોટા/ખોટના) ધંધા બંધ કી દેવા?
સવાલ પુછનાર હું હોવ તો જવાબ પણ આયમ બંદા પોતેજ આપે ને? = “ના.”
એકાક્ષરી જવાબથી સંતોષ (થયો કે) ન થયો હોય (તો ય) વિગતવાર, સવિસ્તાર જવાબ –
જેમ મોલ આવવાથી નાના વેપારીઓને કે પછી સ્ટાર હોટેલ્સના લીધે લારી ગલ્લા વાળાનું ય ગાડું તો ગબડે જ, એવી રીતે આ બધા રાઇટર્સ તો મોંઘી મોંઘી વાનગી, હાઈજેનીક ફૂડ પીરસસે પણ જેને હાલતા ચાલતા પાણીપુરી, ફાફડા, વડાપાંઉ ખાવા હોય કે પછી બીજી રીતે કહીયે તો ગુટખા, સીગરેટ , (ન ગમ્યું? તો) વેફર્સ, કુરકુરે, દૂધ/દહીંના પાઉચ (વેચવા કે)લેવા છે એમને માટે તો રસ્તેકા માલ સસ્તેમેં જ પોષાય ને?
મતલબ કે આ લોકોની પોસ્ટસ સાહિત્ય લેવલે ઊંચી હશે (જ) પણ આવી ગાંડી-ઘેલી પોસ્ટસ વાળાઓએ પણ નિરાશ થવાની જરૂર નથી, દરેક ‘પ્રકાર’નો વાચક વર્ગ આપણી ભારતભૂમિ પર મળી રહેતો હોય છે. એટલે જલ્સા કર બાપુ જલ્સા કર….
~ અમૃત બિંદુ ~
એડીટર શીલા ભટ્ટે લેખક તરીકેની મારી રજુઆતમાં કડક શિક્ષકને અદામાં ક્ષતિઓ ગણાવી એટલે જ એ સુધારી શક્યો. એમણે મને વિવેક પડતો મૂકીને ટપાર્યો ન હોત, તો મારું પરફોર્મન્સ કાચું રહી ગયું હોત. આજે એવી જ અદામાં કોઇ સ્વાર્થ વિના અન્ય વાચકોને કશુંક કહેવા જાઉં છું તો એમાંથી શીખવાને બદલે રીડરબિરાદરો ભડકીને સામા થાય છે. અને કદાચ એટલે જ બહું બહું તો બ્લોગ સુધી પહોંચી શકે છે. લોગ સુધી નહિં એવું મારું એકદમ નીજી મંતવ્ય છે. અને એટલે જ આવું બને ત્યારે મને કોઇ શાનદાર શકયતા રોળાયાની પીડા થાય છે.
^ “e_વાચક”માં જય વસાવડાના વિમોચન વકત્વમાંથી…