સામાન્ય રીતે વાંચન અને વામકુક્ષી માટે ૩ થી ૪ સેલ ઓફ કરું. (આમાં પેલા રાજકોટ_રજનીકાન્ત જોક જોવું છે.) પણ કાલે એ દરમ્યાન ઘરના લેન્ડ લાઈન પર ઓફિસથી કોલ આવ્યો – “થોડીવાર પહેલા કોઈ આવ્યું હતું અને કહેતા હતા કે એમના મધર અવસાન પામ્યા છે. સાંજે પાંચેક વાગ્યા પછી સ્મશાન યાત્રાનો સમય છે એવું કંઈક સમજાયું.” કોણ છે ? શું છે? એ ખાસ ખબર પડી નહિ અને આમેય પાંચ વાગ્યાની વાત હતી એટલે હું રૂટીન મુજબ એક-બે કામ પતાવી ઓફીસના દાદરા ચડતો હતો ત્યાં એ ભાઈ સાહેબ સામે જ મળ્યા, મેં ખરખરા સાથે વાત પૂછી. એ કહે; “હા, અમદાવાદમાં મારા મધરને એડમીટ કર્યા હતા, આજ સવારે એમનું અવસાન થયું, મારે પણ ત્યાં જવાનું છે પણ હમણાં મારી નોકરી પણ છૂટી ગઈ છે તો મને ૪૦૦ (ચારસો) રૂપિયા આપો તો હું જઈ શકું!”
ખબર નહિ કેમ પણ ભાગ્યે જ ચમકતી સિકસ્થ સેન્સ એ ઝબકાર માર્યો ‘ કંઈક દાળ-કઢી-સાંભાર,માં કાળું છે’
એક સાથે ઘણા બધા તર્ક અને આઈડિયા દોડ્યા. મેં દાદરા ચડવાનું માંડી વાળી, એને કહ્યું “ એક કામ કરો, આપ યહાં પે ખડે રહો યા ઉપરઓફીસમેં બૈઠો, મૈ પૈસા કાં ઇન્તજામ કરકે આતા હું”
એને મજા ન આવી એ તો એના એક્સપ્રેશન પરથી દેખાયું પણ એની પાસે કોઈ ઓપ્શન ન હતો અને મને પણ બીજી કોઈ વાતોમાં ‘હલવાવે’ એ પહેલા હું બાજુની દુકાનમાં ઘુસી ગયો.
બે-ત્રણ વરસો પહેલા એની બહેને જોબ માટે એનો નંબર આપ્યો હતો એ નસીબ જોગે હાથ આઈ મીન મોબાઈલ વગો હતો. મે એને પૂછ્યું તો કહે કે આજે દિવસમાં આ તમારો ત્રીજો કોલ છે અને કેટલાય સમયથી અમારી માંને (આ રીતે) મારી નાંખે છે. …. હજુ વાત ચાલતી હતી ત્યાં એ ફરી પ્રગટ થયો અને એને મને વાત કરતો જોઈને એ સમજી ગયો, અને કહે: “મેળ પડ્યો? કે હું જાઉં?”
મે એને અનુક્રમે બીજો વિકલ્પ પસંદ કરીને જવાનું કહ્યું.
એ (આવ્યો અને) ગયો એ તથા મારી વાતચીત સાંભળી જેની દુકાનમાં હતો એ મિત્ર મને કહે: “આ તો (કોઈપણ ઓળખાણ-પાળખાણ વગર) બે વરસ પહેલા મારી પાસે આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે સ્મશાનયાત્રામાં આવવાનું નિમંત્રણ આપતા આપતા કહે કે ‘સામાન’ લેવા માટે ૫૦૦ રૂપિયા આપો. મેં એને કહ્યું કે ત્યાં (સ્મશાનમાં)જ આપીશ …… છ મહિના બાદ ફરીથી આવ્યો, અને એ જ વાત દોહરાવી. મેં દંડો ઉપાડ્યો અને ભાગ્યો.”
~ અમૃતબિંદુ ~
૧૭ જૂલાઈ ૨૦૧૦ના રોજ પણ આવી જ પોસ્ટ કન્યા_દાન કરી હતી.