નિશાળમાં તો ભણ્યા નથી પણ હવે એમ થાય કે ચાલો નિશાળ- નિશાળ રમીયે !
કેવીરીતે ?
આવી રીતે –
| બ્લોગ લખનાર = બ્લોગીંગ કરવાના કારણો/બહાના . . . | બ્લોગ ન-લખનાર= બ્લોગીંગ ન કરવાના કારણો/બહાના . . . |
| * મને બીજે કયાંય લખવા મળતું નથી | # બીજે લખવામાંથી ટાઈમ નથી મળતો |
| * બીજે ક્યાંય લખું તો કોઈ વાંચતું નથી. | # બ્લોગ ય કોઈ ન વાંચે તો ? |
| * બીજો કોઈ કામ ધંધો નથી. | # કામ ધંધામાંથી ફુરસદ જ નથી. |
| * મારે કહેવા જેવું ઘણું છે પણ કોઈ મુરઘો/મુરઘી મળે નહિ તો બ્લોગ જ લખું ને? | # મારે કહેવા જેવું છે કે નહિ એ પણ મને ખબર નથી |
| * આટલા બધા કહે છે તો હું શું કામ પાછળ રહી જાવ ? | # આટલા બધા લોકો કહે છે એ બધું કચરા જેવું છે એમાં મારે ક્યાં ઉમેરો કરવો? |
| * મારી કૉલમના આશિકો અને રસિકોની સાથે આ બહાને સંવાદ રચાય. | # મારી કૉલમ તો કોઈ વાંચતું નથી તો પછી અહી પડ્યું હશે તો કો’ક દી’ તો ગૂગલ સર્ચમાં દેખાશે. |
| * અન્ય સેલિબ્રેટીઓ પણ લખે છે એટલે આ બહાને સેલિબ્રેટી હોવાનો ભ્રમ તો જાળવી શકું. | # અન્ય સેલિબ્રેટીઓ લખે છે એટલે સેલીબ્રેટી છે તો હું ન લખીને છું એવો ભ્રમ જાળવવાની કોશિશમાં છું. |
| * હું કેટલું વાંચું છું એ મારા સિવાય પણ કોઈને ખબર તો પડવી જોઈએ ને? | # મારું કંઈ વાંચન નથી એ કોઈને ખબર પડી જાય તો? |
| * મને ચોરી ચપાટીમાં જે કંઈ મળે એ ક્યાંક તો ઠાલવવું ને ? | # મારું લખાણ(લખ્ખણ) કોઈક ચોરી (જાણી) જાય એ પસંદ નથી. |
| * આ બહાને (ગીને ચુને)મિત્રોને કહેતા ફરી શકાય કે આય મ ઓલ્સો બ્લોગર. | # લોકોને એવું લાગે તો કે હું સાવ નવરીબજાર છું ! |
| * તમે વાંચશો? તો હું લખવાનું ચાલુ રાખું | # તમે ભૂલ ન કાઢવાના હો તો લખવાનું શરુ કરું. |
(નોંધ – બ્લોગર્સમાં લેખક-વાચક જેવો ભેદ રાખ્યા વગર સૌને એક જ લાઠીએ હાંક્યા છે. )
~ અમૃતબિંદુ ~
* આવા ફાલતું બ્લોગર્સ હોય તો આપણો ક્યા કોઈ વાળ પણ વાંકો કરી શકે?
# આવા ફાલતું બ્લોગર્સ હોય છે એટલે જ મન નથી થતું !


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)






brilliant.
thoda aitihashik ane bhaugolic karano pan apya hot to
મને તો શ્વાસ ચઢી ગયો ! આ રમતમાં આપણું કામ નહીં !!
જો કે બ્લોગ એટલે લખવો જોઈએ કે આમાં ’હાંભળીને’ આપણને કોઈ સીધો થપાટનો ઘા ન કરી શકે
મજો પડ્યો.
મજા આવી ગઈ.
બન્ને બાજુ એક એક ઘા ને કટકા ઝાઝા કર્યા છે ! બહુ સૂક્ષ્મ કટકા થયા છે એટલે વીણતાંય વાર લાગે એવું છે !
પણ તૉય, ભાઈને કઉં વાત હમજવા જેવી છે. કોણ જાણે કેમ પણ વાત ક્યાંકને ક્યાંક આપણનેય લાગુ તો પડી જાય એવી છે….! રાજાને નાગો કહેવાનો સંકોચ …………?!
જોરદાર નિરિક્ષણ.. પણ, આખરે પ્રશ્ન એ ઉદભવ્યો કે હવે કરવું તો કરવુ શું ? લખો તો પીડા અને ન લખો તોય પીડા…
excllent
હમમમ, સુંદર વાત સાથે બારીક નિરિક્ષણ મનોભાવ નું. બસ, પોતાને અરીસામાં જોઈ લેવું જોઈએ કે શું કરવું જોઈએ જો ચિંતામાં પડી જઈએ તો !!!!!!!!!!!!!!
એક સરસ રસ્તો છે. લખતાં હોઈએ તો જમણી બાજુના ખાનાવાળું વાંચવું ને ન લખતાં હોઈએ તો ડાબીબાજુના ખાનાવાળું ! મોં રેતીમાં ઘુસાડી દેવાથી બધા જ પ્રશ્નો ઉકલી જાય છે….!
અથવા સૌથી સહેલો રસ્તો એ છે કે “ ‘આ’ મને લાગુ પડતું નથી” એમ માનવું.
khi..khi…khi!