June 18, 2009...12:47 pm

Short_Sweet-II

Jump to Comments

મિત્ર જયેશ ભેદાના (ફોર્વડેડ) ઇ-મે ઈલ માંથી સાભાર.

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે
અને
થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!!

સંતાનને
સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો
આખરે
તો મા-બાપને અનુસરશે!!!

બરફ
જેવી છે જીંદગી
જેનો
ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….

પ્રશ્નો
તો રહેવાના
સુખી
લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..
અને
દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું
બેલેન્સ કેવું અદભુત છે
પાંચ
મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે;
અને
જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.

કેટલાક
લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, જેમાં એક ચકલું પોતાની તરસ ના છિપાવી શકે!!!

અને
છેલ્લે….

શ્વાસ
ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત.
ઈચ્છાઓ
ખુટી જાય અને શ્વાસ બાકી રહે …………તે મોક્ષ.

11 Comments


Leave a Reply