‘औरते ‘ – खुशवन्त सिंह


 

'औरते '  Khushwant Singh's ‘The Company of Women’  हिन्दी अनुवाद - हरिमोहन शर्मा

‘औरते ‘
Khushwant Singh’s ‘The Company of Women’
हिन्दी अनुवाद – हरिमोहन शर्मा
(image from -
http://pustak.org/bs/booksimage_L/66556655_Auraten_l.jpg )

लायब्रेरी में जब  जानेमाने  लेखक श्री खुशवन्त  सिंह का  अंग्रेजी नोवेल  ‘The Company of Women’  हिन्दी अनुवाद (edition- 2003) हरिमोहन शर्मा ’औरते ‘उपन्यास देखा तो फटाक से उठा लिय। इसके पहेले खुशवन्त  सिंह का तो नहीं मगर एक-दो  हिन्दी पुस्तक पढ़ा है। एक ‘सरदार पटेल’ पे था और एक ‘राम मनोहर लोहिया के विचार’ नामक था। जैसा के ये ब्लॉग-पोस्ट से ही मालुम हो जाएगा की मेरी हिन्दी कैसी है? ( बात तो ऐसे करता हु जैसे की  बाकी भाषाओं का मास्टर हु !?!?) तो उन पुस्तको जिनके बारेमें थे उस वजह से पसंद करता था लेकिन गुजरातीमें जो ‘जमना’ कहेते है ऐसा ‘जमा’ नहीं! इसलिए सोचा के हमारी (याने मेरी) औकात के मुताबिक़ ही भाषा-पुस्तक का चयन करना चाहिए  !!

अब (खुशवन्त  सिंह का उपन्यास) ‘औरते ‘ के बारेमे बात करू तो जिस तरह का खुशवन्त  सिंह का नाम-काम सूना था, लगा के औरतो के बारेमें होगा, मगर सच तो ये है की ये तो हमारे गुजराती के कुछ लेखक के लेख जैसा हुव… बाहर कुछ ओर और अन्दर कुछ ओर !  ’औरते ‘ एक ऐसे पुरुष की कहानी है जो कोई भी, मानो के हर कोई (हिन्दुस्तानी) पुरुष ऐसा ही होता है ! शुरू शुरू में तो लगा की कोई एकदम चिप क्लास की ‘रंगीन’ कहानियाँ पढ़  रहा हु, मगर हो सके तब तक मै धीरे-धीरे, टूकडे टूकडे में ही सही लेकिन पुस्तक पूरा करने का प्रयास करता ही हु. पूरा पुस्तक पढ़ने के बाद ये अदालत इस नतीजे पे पहोची है की न पढो या पढो दोनों में ही कोई हर्ज नहीं !

जैसा की बुक-रिव्यू के बारे में मेरी आदत है, मै ‘स्टोरी’ नहीं कहे देता . . . लेकिन मुझे जो जो पसंद आये वो क्वोट-विचार ‘कोपि -पेस्ट ‘ किये देता हु . इसलिए इस पुस्तकमें भी मुझे (ऑलमोस्ट) हर  धर्म के बारे में लिखा है, वो अच्छा लगा, और ख़ास तो गंगा-हरिद्वार के बारेमें जो छुट पुट पढ़ा है उससे वह जाने का तीन साल से टल रहा है उसके लिए उतावला-व्याकूल हो रहा है।

अब मै यहाँ पर ही अटकता हूँ और जो विचार, लाइन्स मुझे पसंद आयी वो यह -

  • मोहन इस बात का कायल अवश्य था कि कभी-कभी इस प्रकार के अवैद्य यौन-संबंधो से कोई वैवाहिक सम्बन्ध नष्ट होने के कगार पर न पहुंचे। उसके विपरीत, ऐसे यौन-सम्बन्ध कभी-कभी ऐसे वैवाहिक संबंधो को, जहाँ पति अपनी पत्नी को उस मात्रा में यौन-सुख प्रदान नहीं कर पाता, जितनी की उसे अपेक्षा रहती है, सुद्रढ़ बनाने में भी सहायक सिध्ध होते है। उसकी द्रष्टि में अवैद्य  यौन-संबंधो को सरासर लज्जाजनक मानकर उसकी निन्दा करना मूर्खतापूर्ण है, क्योंकी वे कभी-कभी समाप्तप्राय वैवाहिक-संबंधो को टूटने से बचा लेते है।
  • मोहन कभी आत्मचिन्तक नहीं था लेकिन इस तूफानी विवाह ने उसे विवाह और प्रेम के मामले में छोता-मोटा दार्शनिक बना दिया था। उसने यह जान लिया था की यह कहावत एकदम गलत है कि किसी स्वर्ग में बैठा कोई देवता विवाहों के बारे में अन्तिम निर्णय लेता है। इसके बरखिलाफ, सच्चाई यह है कि  दुबियावी कारणों के तहत विवाहों का निर्णय दुनिया में दुनिया के लोग ही करते है, और इस मामले में पहला महत्त्व धन को दिया जाता है, भले ही वह सम्पति के रूप में हो , लाभदायक व्यापार के रूप में हो , या ऊँची कमाई वाली नौकरी के रूप में हो।
  • मूलतः स्त्रियों के शरीर की बनावट एक-सी होती है, लेकिन पुरुष हर स्त्री से विमोहित और मुग्ध होता है . . . .
  • विवाहित स्त्रियो  को बिना किसी प्रत्यक्ष सबूत के पता चल जाता है कि उनके पतिदेव परायी औरतो के साथ परम का चक्कर चल रहा है। उधर, विवाहित पुरुष अपने काम-धंधे में इतने अधिक व्यस्त रहेते है कि उन्हें सालों तक अपनी पत्नियो की बेवफाई का पता नहीं चलता।
  • आदमियों में अन्तर समजने की समज तो होती नहीं, वे बस, जो सामने दिखाई देता है, उसे ले लेते है। . . . . . . .   मर्द लोग वफादारी को कोई महत्व नहीं देते। वे एक औरत से जल्दी ही उब जाते है, और दूसरी औरत पर लाइन मारने लगते है, साले हरामी।
  • मै यह जानना चाहती हूँ कि  हिन्दू बन्दर को, हाथी को भी देवता क्यों मानते है, वृक्षों, सांपो  और नदियों को भी पूजा क्यों करते है? वो लिंगम तक की पूजा करते है। योनि की पूजा करते है। . . . . . . वे प्लेग, खसरा और चेचक जैसे रोगों की देविंया बनाकर उनकी पूजा करते हैं।
  • क्या वे इस बात से इनकार करेगी की इस्लाम ने बहुत सी धारणाये और विचार  यहूदी धर्म से उधार लिए है। उनका स्वागत करने वाला शब्द ‘सलाम वालेकुम’ हिब्रू भाषा  के ‘शालोम अलेक’ से लिया गया है। उनकी पांच दैनिक नमाज़ों  की प्रथा ‘जुडैक’ से ली गई है। हम प्राथना करने के लिए यरूशलम की और मुड़ते है, यह विचार भी उन्होंने हम से ही लिया है- फर्क इतना है की वे मक्का की और मुड़ते है। और यहुदियो की पुराणी प्रथा की नक़ल करते हुए वे भी अपने लडको की सुन्नत करते हे। यहूदी धारणा ‘कोशर ‘ से इस्लाम में ‘हराम’ और ‘हलाल’ शब्द शिखे। हम यहूदी लोगो में सुवर का गोश्त  खाना इसलिए माना है, क्युकी वह गन्दा होता है। मुस्लमान लोग  भी एसा ही मानते है। हम जानवरों को खाने के पहेले उसका खून निकालते है। हमारी नक़ल करके मुस्लमान  भी एसा करते है। वे इन पैगम्बरों का आदर करते है जिनका आदर, यहूदी या इसाई पहेले से ही करते चले आ रहे है, इस्लाम के पास जो कुछ भी है, वह उसने यहूदी या इसाई धर्म से ही उधार लिया है।
  • यास्मीन , तुम इतनी कट्टर क्यों हो? मुसलमानों से ज्यादा कट्टर लोग  दुनिया के किसी धर्म में नहीं है। उनके नबी मुहम्मद साहब महानतम धार्मिक नेता थे। मुसलमान भी प्रबुध्ध लोग होते है, अल्लाह से डरने वाले  और धर्म-परायण और नेक।
  • अमेरिका में रहेने वाले सब हिन्दुस्तानी यह कहा करते थे, “एक दफा मैंने ढेर सारे डॉलर कमा लिए तो मई वापस ओने गाँव चला जाऊँगा। ” मगर वापस जाता कोई नहीं था।
  • . . . पुरुषो को यद्यपि माहवारी नहीं होती, तथापि पचास साल की उम्र के बाद उन्हें रजोनिवृति होती है। इस उम्र में कुछ पुरुषो के व्यवहार में विचित्र परिवर्तन आ जाते हैं। रंडीबाजी में उनकी दिलचस्पी अचानक पैदा हो जाती हैं। वे जवान लडकियो को बुरी नजर से देखने लगते हैं, अश्लील बाते करने लगते हैं, और कभी-कभी सबके सामने नंगे तक हो जाते हैं। कुछ धार्मिक वृति के हो जाते हैं, और पूजा-पाठ और तीर्थयात्राओ में अपना वक्त बरबाद करने लगते हैं।
  • अगर आप जीवित हिंदुत्व की  अनुभूति करना चाहते हे , तो वह आपको न हिन्दुओ के धार्मिक ग्रंथो से प्राप्त होगा , न मंदिरो के दर्शन से, वह आपको प्राप्त होगा, हरिद्वार में सूर्यास्त पर होने वाली गंगा की आराधना में की जाने वाली आरती में।
  • बुद्ध ने अपने प्रवचनों में ‘दुःख’ पर बहुत जोर दिया है। सर्वत्र व्याप्त बताया है दुःख को। बुद्ध का मानना था की कामनाओ पर नियंत्रण रख कर, दुःख को नष्ट किया जाता है। खाने , जीवन के हर भौतिक सुखो को भोगने, सेक्स से बचने पर दुःख से बचा जा सकता है। मुझे यह विधि स्वीकार्य नहीं है। हिन्दू धर्म की सबसे बड़ी विशेषता यह है की यह दुःख में नहीं सुख को प्रधानता देता है। सुभ और सौभाग्यादायी है – हिन्दू  धर्म। हमारी संस्कारी – विधिओ में पिने , नाचने, जुआ खेलने , प्रेम करने और मौज करने आदि का कोई निषेध नहीं है। मै उसका समर्थन करता हु, उपवास करने, पश्चताप करने आदि का नहीं।
  • मै जानती हु, और मै जिस पुरुष को भी, चाहू, फुसला सकती हु। वजह यह है की पुरुष सदा किसी भी लड़की को भोगने के लिए तैयार रहेते है।
  • मेरे ख्याल से एक रात में शुरू और ख़त्म हुए प्रेम को एक रंगवाला प्रेम माना जायेगा। एक ही व्यक्ति के साथ प्रेम जब तक काफी समय पुराना न हो जाए, तब तक उसे पूर्ण , संपन्न और संतोषदायक नहीं माना जा सकता। और यह संतोष कब समाप्त हो जाता है, और उसका उतेजन कब ख़त्म हो जाता है। इसका आभास प्रेमी और प्रेमिका दोनों को हो जाता है। तब प्रेमी और प्रेमिका दोनों को बिना किसी गिले-शिकवे के उस प्रेम को अलविदा कह देना चाहिए और एक – दुसरे को नया प्रेमी या प्रेमिका के साथ नए सम्बन्ध स्थापित कर लेने चाहिए।
  • अगर आप दुसरो से यौन – सम्बन्ध करते हुए पकडे जाते है, तो आप गुंडे है, लम्पट है, और अच्छे लोगो के साथ रहेने के काबिल नहीं है, लेकिन अगर किसीको आपके लम्पट और व्यभिचारी होने का पता नहीं चलता, तो आप सम्मानीय नागरिक है।

~ अमृतबिन्दु ~

“आदमी जब वृध्ध होने लगता है, उसकी कामेच्छा शरीर-मध्य से उठाकर ऊपर दिमाग की ओर बढ़ने लगती है। अपनी जवानी में वह जो करना चाहता था और अवसर के अभाव, घबडाहट या दूसरों की स्वीकृति न मिलाने के कारण नहीं कर सका, उसे वह अपने कलपना लोक में करने लगता है।

…….. इस का शीर्षक यह भी हो सकता था, ‘एक अस्सीसाला वृध्ध के दिवास्वप्न’ ।

इस उपन्यास में कोई भी पात्र वास्तविक नहीं हैं;वे सब मेरे सथियापे की उपज हैं।”

^  खुशवन्त  सिंह  (प्रस्तावना)

Leave a Comment

Filed under Art, સાહિત્ય, Reading

બક્ષી સાહેબની પૂણ્યતિથિ_૨૦૧૩


આમ તો વ્યક્તિ આ દુનિયામાં હોય ત્યારે એક અને ન હોય ત્યારે બે વાર તો ખાસ યાદ કરાય જ છે. હું પણ કરી લઉં છું તો ક્યારેક એમ પણ લાગે કે આખી દુનિયા જે દી’ યાદ કરે, તે દિવસે તો એમને ‘બક્ષી’ દેવા જોઈએ…

હા, તો આજે બક્ષી સાહેબની પૂણ્યતિથિ છે, સૌ કોઈ યાદ કરશે અને એમાં  ખોટું પણ શું છે? આજે થયું કે હું પણ બક્ષી વિશે ટૂંકી (પણ બે) વાત કરી દવ, જે ઘણા દિવસથી આંખ થકી મનમાં ‘માર-ફાડ’ કરે છે.

૧-બક્ષી વિશે મારા વિચાર/મારું માનવું  -

મારા માટે પૈસા જેવા છે. એટલે કે પૈસા સર્વસ્વ નથી પણ પણ પૈસા ઘણું બધું છે. પૈસા વગર કોઈ કે પૈસા થકી ઘણા બધા દંભ થઇ શકે અને કરે છે એવી જ રીતે અમુક લોકો બક્ષી સાથે અમારે આમ હતું અને તેમ હતું કરે અને અમુક લોકો બક્ષી વગર જ અમારે હાલતું/હાલે છે ના દંભમાં પણ રાચતા હોય છે. પૈસા જ માણસનો (બધી રીતે) માપદંડ નથી એવી જ રીતે બક્ષી પણ માપદંડ નથી કે જેઓએ વાંચ્યા એ જ્ઞાની અને ન વાંચ્યા એ અબૂધ! પસંદ અપની અપની છે.

૨- બક્ષી વિશે નેટ જગતમાં –

મોટો ત્રાસ એ થાય કે લોકો બક્ષીથી એવા ઈમ્પ્રેસ થઇ જાય કે લોકોને જાણ્યે વધુ અને અજાણ્યે ઓછા બક્ષી સ્ટાઈલથી ઈમ્પ્રેસ કરવાના પ્રયાસમાં સતત રાચતા રહે અને એ માટે વધુ કશું કરવાની તસ્દી નથી લેતા, માત્ર મન પડે એવા એટલે કે ગમે તેવા નહી પણ ‘ગમે એવા’ શબ્દોનો ફાલૂદો બનાવી નાંખે અને ગુજરાતી શબ્દો/વિચારને મારી મચડીને ‘અગુજરાતી’ બનાવીને મૂકે અને માને કે બક્ષી થઇ ગયા!!

ખરેખર તો બક્ષીને આ ખબર પડે તો સૌથી વધુ ‘ખારા’ એ જ થઇ જાય.

~ અમૃતબિંદુ ~

બક્ષી સાહેબ વિશેની (મારી) અગાઉની  પોસ્ટ્સ 

20 Comments

Filed under સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

મારું (જ) સત્ય


૧૯૮૮ની સાલમાં એન્ટેક (ટીવીની કંપની)માં નોકરી કરતો હતો. એકવાર બધા નવરા બેઠા હતાં, અમે બધા કાઠિયાવાડી આમ પાછા ફાન્કોડી ખરાને? એટલે સહુ ઝીંક્યે રાખતા હતાં કે આમ કરી શકીએ ને તેમ કરી શકીએ, કોઈને ટીખળ સુઝ્યું, તો ચેલેન્જ મૂકી કે  EHT  ઊંધી ફિટ કરી શકો? એનો ડાયાગ્રામ જુવો કે આ ઊંધી ફિટ ન થાય,

TV EHT

TV EHT

પણ મેં કીધું ને આપણે ગુજરાતી અને એમાંયે કાઠીયાવાડી, એમ કંઈ મૂકી દઈએ? એક ભાઈએ ફિટ કરી દીધી! તમને થશે કે આ  થાય જ નહીં, કેવી રીતે કરી ?

તો એ ભાઈ સાહેબે PCBમાં ઊલટી ફીટ કરી દીધી. એ અલગ વાત છે કે પ્રેક્ટિકલી આ પોસિબલ નથી પણ વાત ઊલટી ફીટ કરવાની હતી, એ થઇ ગઈ એટલે આમ જુવો તો એ હાર્યો તો ન જ કહેવાય!!

આ બધું યાદ આવવાનું કારણ હમણાં કાત્જુ, માજીદ મેમણ વગેરે સંજુ બાબાની સજા માફીને લઈને જે રીતે દરેક ચેનલ પર પોતાનો કક્કો ખરો કરી રહ્યા છે એના પરથી યાદ આવ્યું.પણ અત્યારે ‘સંજુ સજા’ ઈશ્યુ વિશે કોઈના કે મારા વ્યૂ રાખીને વધુ માથું પકવવાનો નથી પણ આ પ્રકારના વલણ અંગે વિચાર આવે છે કે લોકો કેવા હોય છે? એકવાર બોલાય જવાય કે સ્ટેન્ડ લેવાય જવાય એટલે ગમે તેમ કરીને પોતાની વાત પકડી રાખવાની અને પ્રેક્ટિકલ કે સૈધાંતિક (થિયરી વાળી નહી) રીતે શક્ય કે યોગ્ય હોય કે ન હોય પણ હવે તો સિદ્ધ કરી જ બતાવવું કે મેં કીધું એ સાચુ એમ નહી મેં કીધું એ જ સાચું એ સાબિત કરી ને જ જંપવું.

અમૃતબિંદુ ~

અમુક લોકોમાં ‘સાચું હોય એ કહેવું’ એમ નહીં પણ ‘કહેવાય ગયું પછી એ સાચું છે’ એમ સાબિત કરવાની વૃતિ ઘર કરી ગઈ હોય છે.

update -

જૈન ધર્મની નયવિચારધારાથી હું પ્રભાવિત થયો છું. એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાથી કે દ્રષ્ટિથી જુદી જુદી દેખાય. નય શબ્દ ન્યાયની કરીબ છે. બધા નયોનું સંકલન એ પૂર્ણજ્ઞાન છે. જે નય એક જ દ્રષ્ટિને ખરી અને બીજી બધી દ્રષ્ટિઓને ખોટી સમજે, હું જ સાચો છું એમ સમજે, એ નય નથી એ નયાભાસ છે. છ આંધળાઓ અને એક હાથીની વાર્તા જૈન ધર્મનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. દરેક આંધળો હાથીને પોતાની ‘દ્રષ્ટિ’થી જુએ છે! કાન કપડનારને હાથી સૂપડા જેવો, સૂંઢ પકડનારને ધોકા જેવો, દંતશૂળ સ્પર્શનારને ભૂંગળા જેવો, પગ પકડનારને સ્તંભ સમાન, પેટને અડનારને પખાલ જેવો, પૂંછડી ખેંચનારને હાથી લાકડી જેવો લાગે છે. અનુભવસિદ્ધ સત્ય જરૂર છે, પણ પૂર્ણ સત્ય નથી, માત્ર સત્યાંશ છે. આ કદાગ્રહી જ્ઞાન છે, હું જ સાચો છું એવો નયાભાસ છે. 

બીજા છ સરળ દેખાતા માણસો હાથીને જુએ છે. સૂંઢ અને મુખ એમ બે મોઢેથી એ પાણી પીએ છે માટે એ એને ‘દ્વિપ’ કહે છે, બીજો એના દાંત જોઈને ‘દંતી’ કહે છે, ત્રીજો એને હાથી કહે છે, એ સૂંઢ જેવા ‘હાથ’થી બધું કામ કરે છે, ચોથા માટે મદઝરતો હાથી ‘મતંગજ’ છે, પાંચમો દાંતને કારણે એને ‘દ્વિરદ’ કહે છે, છઠ્ઠાએ એની હડપચીને લીધે એને ‘કુંજર’ કહ્યો. આ બહુધર્મી પ્રાણી એકધર્મી બને છે ત્યારે હસ્તી કે હાથી બને છે. આ હાથીત્વ એ નય છે. કયું સાચું? હાથીનું ખંડદર્શન કે હાથનું અખંડદર્શન? અનુભવથી સમજાતું સત્ય પણ કેટલું અપૂર્ણ સત્ય હોય છે? 

(ધર્મ અને દર્શન, ચંદ્રકાંત બક્ષી, પૃ. 135)

^ Courtesy : Nehal Mehta

21 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi, media, Nation, politics

વાંચન_જ્ઞાન


હમણાં જવાહરલાલ નેહરુ એ જેલમાંથી ઇન્દિરા ગાંધી પર લખેલા પત્રોનું સંકલન  (અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ)  ’જગતના ઇતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ વાંચી રહ્યો છું, ઓલમોસ્ટ વંચાય પણ ગયું છે. આદત મૂજબ એફબી પર એ પુસ્તકમાંથી અવતરણો મૂકતો હતો અને અપેક્ષા મુજબ અમુક મિત્રોએ (લેખક પ્રત્યેની) નારાજગી પણ દર્શાવી.

આ પુસ્તક જ્યારે વાંચવાનું શરુ કર્યું અને હજુ એફબી પર કંઈ મૂક્યું ન હતું ત્યારે પણ અમુક સવાલો થતાં જે આમ તો આ પહેલા પણ ઉદભવ્યા જ છે પરંતુ આ પુસ્તક વાંચન દરમ્યાન અને એમાંયે એફબી ફ્રેન્ડસની પ્રતિક્રિયા દરમ્યાન જે સવાલો કે વાતો મનમાં હતી એ સપાટી પર આવી ગઈ.

સામાન્ય રીતે એવી માન્યતા હોય કે વાંચનથી જ્ઞાન/સમજ/ભાવ વગેરેમાં વૃદ્ધિ થાય પણ જો એવું જ હોય તો નેહરુનું આટલું બધું જ્ઞાન ખુદને/દેશને માટે કેમ મદદે ન આવ્યું? અત્યારે એક ચોક્કસ બુક/વ્યક્તિની વાત થાય છે એટલે આ નામ આપ્યું બાકી ઇતિહાસ/વર્તમાન કે પછી આપણા શાસ્ત્રોમાં પણ કેટકેટલાય નામો દિમાગમાં ઊભરે કે એમના વિશાળ વાંચન ફલકથી એમનું  કે દેશ-દુનિયાનું ભલું યા તો થયું નથી યા તો થવું જોઈતું હતું એટલું નથી થવા પામ્યું.

સામે પક્ષે એવા પણ કેટલાય દાખલા જોવા મળે કે જેઓનું સિમિત જ્ઞાન અને અમુક વખતે તો બિલ્કુલ જ્ઞાન ન હોય એવી વ્યક્તિઓએ પણ ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરી હોય. તો આમાં આખરે વાત/રહસ્ય/ત્રુટી શું હશે?

 જ્ઞાનીઓની જ વાત કરીયે તો એક અનુમાન એવું આવે કે શાયદ તેઓએ વાંચન તો કર્યું પણ ત્યારબાદ મનન ન કર્યું એટલે જેમ વધુ ખોરાક બાદ આફરો ચડે અને ફાયદાની બદલે નુકસાન થાય એવું બન્યું હોય.

 વધુ વાંચન કરવું જ જોઈએ પણ લાગે છે કે દુનિયામાં જેટલું લખાયેલ છે એ બધું જ વાંચવાનો લોભ (કે બડાશ) થી  થોડું અંતર રહે એ ઇચ્છનીય છે.

 ઓશોને ભલે આપણે પ્રબુધ્દ/વિદ્વાન માનીયે , અને હતા એમાં પણ કોઈ મનાઈ નહીં, એમના જોયા સુધ્ધાં નથી તો પણ ઘણીવાર એવું લાગે કે તેઓ આખી દુનિયાને જે કહેતા એ શાયદ ખુદ સંપૂર્ણ પ્રાપ્ત કરવા કે અનુભવવાથી ચૂકી ગયા હતા.

~ અમૃતબિંદુ ~

* હિંદમાં બીજી એક વૃતિ જોવા મળે છે કે લોકો પાછળ જોવા ચાહતા હતા, આગળ નહીં. ભૂતકાળમાં તેમણે જે ઉચ્ચ સ્થિતિ  પ્રાપ્ત કરી હતી તેના તરફ તેમની નજર હતી, ભાવિમાં તેમણે પ્રાપ્ત કરવાની ઉચ્ચ સ્થિતિ તરફ નહીં. આમ આપણા દેશબંધુઓ વીતી વાતને આંસુ સારતા હતા અને  આગળ વધવાને બદલે કોઈપણ હુકમ કરતો તેને વ્ષ વર્તતા હતા. સામ્રાજ્યો આખરે તો જેમના ઉપર તેમનો દોર હોય તે લોકોની પરવશતા ઉપર જેટલાં પ્રમાણમાં નભે છે તેટલાં પોતાની તાકાત ઉપર નભતા નથી.

* ઇસ્લામના આગમનથી હિંદુ ધર્મ ઉપર બે જાતની અસર થઇ અને તાજુબીની વાત તો એ છે કે એ બન્ને અસરો એકબીજીથી સાવ વિરુદ્ધ હતી.

એક તો તે સ્થિતિ-ચુસ્ત થઇ ગયો અને પોતાનાં ઉપર આવતા હુમલા સામે રક્ષણ કરવાના પ્રયાસમાં તે જડ બન્યો અને પોતાની આસપાસ કવચ રચીને તેમાં ભરાઈ બેઠો.ન્યાયના વાડાઓ અને બંધનો વધારે સખત તથા સંકુચિત બન્યાં, પડદાના રિવાજ તથા સ્ત્રીઓનો એકાંતવાસ વધારે પ્રચલિત થયાં.

પણ બીજી બાજુએ ન્યાતો સામે તથા વધારે પડતા પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાકાંડ સામે આંતરિક વિરોધ જાગ્યો અને એ બાબતમાં સુધારો કરવા માટે ઘણા પ્રયત્નો થયા.

^

જવાહરલાલ નેહરુ લિખિત (અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ)

જવાહરલાલ નેહરુ લિખિત (અનુવાદક અને સંક્ષેપક : મણિભાઈ ભ. દેસાઈ)

5 Comments

Filed under ધર્મ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંવેદના, સાહિત્ય

આસાન અંગ્રેજી


દિમાગમાં અમૂક ડેટા એવો ફીટ થઇ ગયો છે કે જે અમુક પુસ્તક વાંચ્યા બાદ એ ડેટા અનફિટ લાગે! એક જય હો અને બીજું આસાન અંગ્રેજી , આમ આ બે પુસ્તકોથી એ અહેસાસ થયો  કે અમુક ‘પ્રકાર’ ના પુસ્તકો  આપણા કામના નથી – એવું લેબલ મારી (મચોડી) બેસાડવું નહીં.

ઉપરોક્ત પુસ્તકોમાંથી અત્યારે તો માત્ર આસાન અંગ્રેજીની જ વાત કરવી છે.

આસાન અંગ્રેજી

આમેય નગેન્દ્ર વિજયની કલમ હોય, હર્ષલ પુષ્કર્ણાનું સંપાદન હોય એટલે એ યુનિક હોય એ તો સ્વાભાવિક જ છે.

કોઈ એમ સમજતું હોય કે મને તો અંગ્રેજી આવડે છે, મારે ક્યાં જરૂર છે? તેઓએ પણ વાંચવા જેવું. ભણવામાં  (!) આપણે  બોર થઇ જઈએ જ્યારે આ પુસ્તકમાં તો વચ્ચે વચ્ચે વર્ડ પ્રોસેસર, અવળચંડુ અંગ્રેજી, જેવા વિભાગો અને અમુક ગ્રાફ/ચાર્ટ થી ખરેખર જ્ઞાન એકદમ આસાન રીતે પીરસવામાં આવ્યું છે.

અંગ્રેજી મૂળાક્ષરોના અલગ અલગ ઉચ્ચાર, કઈ ભાષાનો કેટલો વપરાશ અને લૂપ્ત થઇ, અંગ્રેજીમાં કઈ ભાષામાંથી કયા કયા શબ્દો ‘બઠાવવા’માં  આવ્યા છે, કયા આલ્ફાબેટનો કેટલો વપરાશ છે, એબ્રીવીએશન્સ અને એક્રોનિમ્સ તેમજ વર્ડ પ્લેમાં પણ મજા આવી જાય છે.

હું તો ત્યાં સુધી કહીશ કે ગુજરાતી માધ્યમ વાળા અંગ્રેજી શીખવાડનારા દરેક ટીચર્સને આ પુસ્તક વાંચવું ફરજીયાત કરી દેવું જોઈએ.

~ અમૃતબિંદુ ~

કુણાલ ધામી મને ઘણીવાર કહે છે :

“……………………………….. જો ‘સફારી’ માત્ર કોરા પાનાં આપશે તો પણ હું એ ખરીદવાનું બંધ ન કરું!

8 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ

સરકાર અને સરકારી [(કર્મ?)ચારી]


દર પાંચ વરસે સરકાર બદલવાના ચાન્સ મળે પણ કંઈ ફેર પડતો નથી, હા, જે ‘ઓફીસ ઓફિસ’ની જેમ સરકારી ઓફીસના ચક્કર કાપતા રહે એને ફેર જરૂર ચડી જાય કેમ કે સરકારી (અ)વ્યવસ્થાતંત્ર તો યથાવત જ હોય છે ને?

બેંક વગેરે જગ્યાએ તો ય હવે તો ઘણો (બધો નહી) ફેરફાર થઇ ગયો છે, લોકો કામ કરતા થઇ ગયા છે અને યા તો કામ કરવું પડતું હોય છે પણ હજુયે સરકારી માનસિકતા બદલાઈ નથી.

એ લોકોને મોંઘવારી સાથે પગાર વધારા જોઈએ છે પણ એના બદલામાં કામ વધુ તો નથી કરવું કે નથી કામ કરવાની કોઈ પદ્ધતિમાં ફેરફાર કરવો પરંતુ તેઓ તો કામ ઓછું કરવાની યુક્તિ-પ્રયુક્તિઓમાં વધુ પ્રવૃત રહેવાની માનસિકતા કેળવતા(!) રહેતા હોય છે.

સરકારી ઓફિસરમાં ઓફિસર્સ કરતા ‘નીચ’લા વર્ગના કર્મચારીઓ વધુ કામ’ચોરી’ કરતા હોય એવું જોવા મળશે. આવા (લુખ્ખા)તત્ત્વોને એમના ઉપરી અધિકારી પણ કંઈ કહી નથી શકતા હોતા.

આવા લોકો સમય બાબતે બહું પંક્ચ્યુલ હોય છે! મતલબ કે સમય પહેલા આવી ણ જવાય અને સમય પછી ઓફિસમાં રહી ન જવાય એની ખાસ તકેદારી રાખતા હોય છે.

સરકારી કર્મચારીઓ વ્યકિગત અને ઘરમાં અપડેટ થઇ ગયા હોય પણ પોતાનાં કામ કાજ માટે અપડેટ થવું હોતું નથી. હા પાછા તેઓ પોતાના સિવાયની અન્ય ઓફિસીસમાં જરૂર ઝડપ અને કાર્યદક્ષતાની અપેક્ષા રાખે!

~  અમૃતબિંદુ ~

સરકારને ચૂંટવા માટે તો ઓપ્શન છે અને આપણે માનીયે કે નહી પણ એનો થોડો ઘણો ડર એમના પર રહે છે એટલે (ના છુટકે ય) કામ તો કરવા પડતા હોય છે. એવી રીતે જ્યાં શક્ય હોય ત્યાં સરકારી ઓફિસમાં પણ જેમ સજેશન બોક્સ હોય છે કે સાઈટ પર સ્ટારના ઓપ્શન હોય છે એમ કંઈક હોવું જોઈએ જેથી એ લોકો આપણું કરે છે એમ આપણે પણ એમનું બ્લેકમેઇલિંગ કરી શકીએ [જોયું? આવી ગયા ને (હિન્દુસ્તાની)જાત પર?!]

7 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, politics

પેઈન હો યા પાર્ટી – દિલ સે હો !


માત્ર પીને વાલો કો હી બહાના ચાહિયે એવું નથી પણ આપણી ઓ માન’સિક’તા જ એવી છે કે ગમે તે કરો, પાણીમાંથી પોરા કાઢવાના જ.

આજ-કાલ એફબી સ્ટેટસ, ટ્વિટસ, એસ.એમ.એસ. મિડીયા બધે ૩૧ ડીસેમ્બરની પાર્ટીને વખોડવાની સિઝન ભરપૂર ચાલશે. હું તો ૩૧ ડીસેમ્બર નથી ઉજવતો, એમાં કોઈ પૂર્વગ્રહ પણ નથી અને હરખપદુડો પણ નથી પરંતુ જેઓ ઉજવે છે એમના પ્રત્યે કોઈ ગિલા-શિકવા પણ નથી. જેને જે ગમે તે કરે એટલી આઝાદી આપણે આપી ન શકીએ?

મતલબ કે હું એમાં કશું ખોટું નથી જોતો કે થોડા દિવસ પહેલા ગેંગરેપ કે અન્ય કોઈ સેન્સિટિવ મુદ્દે ભેગા થયા હોય એ આજે પાર્ટી ન મનાવી શકે!

આપણે ખુદ એવા સંજોગોમાંથી પસાર નથી થતાં કે સવારે કોઈની સ્મશાન યાત્રામાં ગયા હોઈએ, બપોરે લગ્નમાં  અને સાંજે  કોઈની બર્થ ડે પાર્ટીમાં ‘પતાવી’ રાત્રે કોઈ દર્દીની ખબર કાઢવા નથી જતા ?!

શેક્સપીયર એ (કે કોઈએ) કહ્યું જ છે ને : “ જગત એક વિશાળ રંગભૂમિ અને આપણે એના પાત્રો છીએ. આપણા ભાગે જ્યારે જે પાત્ર આવે તે જાન રેડીને ભજવવાનું.” કોઈ દિલ-દગડાઈ નહીં કે નહીં કોઈ  ગિલ્ટી ફીલીંગ  રાખવાની –  એ જ પાત્રને સાચો ન્યાય છે.

 ~ અમૃતબિંદુ ~

> આ પહેલાની ૩૧ ડીસેમ્બર/ન્યૂ યર રિલેટેડ પોસ્ટ્સ <

http://rajniagravat.wordpress.com/2011/01/01/1_2/

http://rajniagravat.wordpress.com/2010/01/02/full-checking_fool-checking

http://rajniagravat.wordpress.com/2010/01/01/3members_3years_3idiots/

http://rajniagravat.wordpress.com/2010/12/28/xmas/

http://rajniagravat.wordpress.com/2009/12/31/100th-post/

4 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સમાજ, media, Nation